રશિયા અને યૂક્રેન વચ્ચે મંડરાઈ રહેલા યુદ્ધના ખતરાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પણ મોટું નિવેદન આપ્યું છે.
પીએમ મોદીએ યુપીના બહરાઈચમાં યોજી મોટી રેલી
રશિયા અને યૂક્રેન કટોકટી પર પીએમ મોદીનું મોટું નિવેદન
કહ્યું દુનિયામાં મચેલી ઉથલપાથલની વચ્ચે આજે ભારતનું શક્તિશાળી બનવું જરુરી
યુપીની બહરાઈચ રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ રશિયા અને યૂક્રેન કટોકટી પર મોટું નિવેદન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે દુનિયામાં ઉથલપાથલ મચી રહી છે અને આવી સ્થિતિમાં ભારતનું મજબૂત થવું અત્યંત જરુરી છે.
आप देख रहे हैं कि इस समय दुनिया में कितनी उथल-पुथल मची हुई है।
ऐसे में आज भारत का ताकतवर होना, भारत और पूरी मानवता के लिए बहुत जरूरी है।
ભારતે મજબૂત બનવાની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે, "તમે જોઈ રહ્યા છો કે આ સમયે દુનિયામાં કેટલી હલચલ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતની શક્તિ આજે ભારત અને સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમારા દરેક મત ભારતને મજબૂત બનાવશે. સુહેલદેવની ભૂમિના લોકોનો એક એક મત દેશને મજબૂત બનાવશે. પીએમ મોદીનો અહીં સંકેત યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ પર હોઈ શકે છે. જેનો ઉલ્લેખ કરતા તેમણે ફરી એકવાર દેશને શક્તિશાળી બનાવવાની વાત કરી છે.
પરિવારવાદીઓના કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
બહરાઇચમાં પીએમ મોદીએ અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે યુપી જે વિકાસના માર્ગ પર છે, તેમાં ડબલ એન્જિનવાળી સરકાર પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મેં 2014થી 2017 સુધી આ એક્સ્ટ્રીમ ફેમિલીસ્ટનું કામ, તેમનું કામ, તેમના કાર્યોને ખૂબ નજીકથી જોયા છે. પોતાના સ્વાર્થ માટે મહાન પરિવારવાદીઓની સરકારો પ્રજાના હિતનો ત્યાગ કરે છે ત્યારે દુ:ખ થાય છે. 2017 પહેલા બસ્તી, બલરામપુર અને બહરાઇચના લોકોને પણ ઘણા ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
પ્રધાનમંત્રીએ કોરોના કાળનો કર્યોઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર સંકટના સમયમાં ક્યારેય કોઈને છોડતી નથી, પરંતુ ગરીબ પરિવારની તાકાત બનીને ઉભી રહે છે. ગરીબો પ્રત્યે સરકારની આવી જ સંવેદનશીલતા આ કોરોના કાળમાં પણ જોવા મળી છે અને અનુભવાઈ છે. આ સંકટ સમયે અમારી સરકારે એવો આગ્રહ રાખ્યો હતો કે, ભારતના કોઈ પણ અમીર કે ગરીબ, શહેરમાં કે ગામડામાં રહેતા કોઈ પણ નાગરિક, પુરુષ કે સ્ત્રીને રસીમાંથી મુક્તિ ન મળવી જોઈએ.
UP | Our govt doesn't leave anyone in a time of crisis. We opened up 'anna ke bhandaar' during the COVID crisis, 80 crore people have been getting free ration for the last 2 years... Tough time calls for a tough leader: PM Narendra Modi, in Bahraich#UttarPradeshElection2022pic.twitter.com/mIdDlD7baR
ગરીબો માટે ઘણું કામ કર્યું
પીએમ મોદીએ પોતાની ચૂંટણી રેલીમાં વધુમાં કહ્યું કે દેશભરમાં 80 કરોડ લોકોને લગભગ બે વર્ષથી મફત રાશન મળી રહ્યું છે અને આપણા ઉત્તર પ્રદેશમાં 15 કરોડ લોકોને મફતમાં રાશન મળ્યું છે. ગરીબો આજે ભાજપને આશીર્વાદ આપી રહ્યા છે. વેક્સિનને લઈને આ લોકોએ તમને લોકોને ઉશ્કેર્યા હતા કે આ ભાજપની રસી છે, ભાજપની કમળની રસી છે એટલે રસી ન લો. જેવી રીતે તમે રસીમાં તેમની વાત ન સાંભળી, તેમ ચૂંટણીમાં તેમની વાત ન સાંભળો.