યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વેદશ લાવવા માટેનું અભિયાન તેજ થઈ ગયું છે. ત્યારે આજે યુક્રેનથી 56 વિદ્યાર્થીઓ ગુજરાત આવશે.
યુક્રેનમાં ફસાયેલા 56 વિદ્યાર્થીઓને ગુજરાત આવશે
AI 1944 નંબરની ફ્લાઈટમાં સાંજે 4 વાગ્યે મુંબઇ એરપોર્ટ પહોંચશે
મુંબઈથી બસ મારફતે વિદ્યાર્થીઓને ગુજરાત લવાશે
GSRTCની બે વોલ્વો બસ મુંબઇ મોકલાઈ
સાંજે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર AI 1944 નંબરની ફ્લાઈટમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચશે. ત્યારબાદ બાળકોને મુંબઈથી વોલ્વો બસ મારફતે ગુજરાત લાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે GSRTCની બે વોલ્વો બસ સાથે ત્રણ અધિકારીઓ મુંબઈ જવા રવાના થયા છે. એર ઈન્ડિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, તે દિલ્હી અને મુંબઈથી 26 ફેબ્રુઆરીના રોજ B787 વિમાન બુખારેસ્ટ અને બુડાપીસ્ટ માટે સંચાલિત કરશે.
AI 1944 નંબરની ફ્લાઈટમાં સાંજે 4 વાગ્યે મુંબઇ એરપોર્ટ પહોંચશે
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા રશિયાના આક્રમણના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે શનિવારે પોતાની ત્રણ ઉડાનોને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ અને એક ઉડાન હંગરીની રાજધાની બુડાપીસ્ટ મોકલશે. વરિષ્ઠ અધિકારીઓ આ અંગેની માહીતી આપી હતી.તેમણે કહ્યું હતું કે, જે ભારતીય નાગરિક રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે. તેમને ભારત સરકારના અધિકારી બુખારેસ્ટ લઈ જશે જેથી કરીને ત્યાંથી તેમને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા સ્વદેશ લાવી શકાય. યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયની સાથે સંપર્ક કરીને વ્યવસ્થિત રીતે રવાના થવાની સલાહ આપી છે.