કપરાડામાં નદીના વહેણ વચ્ચે નીકળી વૃદ્ધાની અંતિમયાત્રા.સ્વજનોની મજબૂરી અને ગ્રામ્ય સ્થિતિનો ચિતાર
આખું આયખું પાણી વચ્ચે,અને અંતિમયાત્રા પણ એમ જ
વૃદ્ધાની અંતિમયાત્રા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે
દક્ષિણ ગુજરાતના કપરાડા પાસે નદી ચીરી નીકળી સ્મશાનયાત્રા
ગુજરાતમાં એવા કેટલાય અતરિયાળ ગામ છે જ્યાં પાકા રસ્તા નથી અને જે છે એ કાચી સડકથી કઈ કમ નથી. ત્યારે, વલસાડના કપરાડા વિસ્તારમાં એક વૃદ્ધાને કુદરતી મોત તો મળ્યું પણ સ્વર્ગે સીધાવા માટે યમુના જેવું પૂર પસાર કરતા હોય તેમ ડાઘુઓ અંતિમ ક્રિયા માટે નદીના વહેણ ચીરીને સ્મશાન પહોચાડતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
અંતિમયાત્રા કાઢવી કઈ રીતે ?
ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ છે અને ચોતરફ જળજળાકાર જેવી સ્થિતિ છેત્યારે, કપરાડા વિસ્તારના કરચોંડ ગામના કોઝ-વે પર ઘટેલી ઘટના મજબૂર પરિસ્થિતિનો ચિતાર આપે છે.સ્થનિક એવા એક વૃદ્નુધાનું કુદરતી રીતે મૃત્યુ નિપજ્યું હતું.ત્યારે તેમની સ્મશાન યાત્રા કેવી રીતે કાઢવી તેવી અવઢવમાં પરિવારજનો પડી ગયા હતા. દરમિયાન,અન્ય કોઈ વિકલ્પ ના મળતા પરિજનોએ નદીના પાણી વચ્ચેથી સ્મશાન પહોચવું મુનાસીબ માન્યું હતું.અને સ્વજનો એ અંતિમયાત્રા કાઢી હતી. નદીના ધસમસતા વહેણ વચ્ચે તુલસી નદીમાંથી સ્મશાન યાત્રા નીકળી અને વડીલ સ્વજનને અંતિમ વિદાય અપાઈ હતી.
અંતિમયાત્રા પાણીના પ્રવાહ વચ્ચે
ભારે વરસાદ અને નદીમાં ધસમસતો પ્રવાહ આ વચ્ચે કઈ શબવાહિની મૃતકને અંતિમધામ પહોચાડે ? ગામ નાનું,રસ્તા પણ એવા અને ચારે તરફ પાણી.આવા સંજોગોમાં પરિજનોએ ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈને અંતિમ વિદાય આપી હતી.