દિલ્હીમાં શ્રદ્ધા વોલ્કરની ઘાતકી હત્યાના વિરોધમાં આયોજિત હિંદુ એકતા મહાસભાની બેઠકમાં એક મહિલાએ યુવકની ચંપલથી પીટાઈ કરી હતી.
દિલ્હીમાં આયોજિત થઈ શ્રદ્ધાની હત્યાના વિરોધમાં મહાપંચાયત
ફરિયાદ લઈને આવેલી મહિલાને યુવાને મારો ધક્કો
મહિલાએ સ્ટેજ પર યુવકની ચંપલથી કરી જોરદાર પીટાઈ
મહિલાનો આરોપ- જે શખ્સને ચંપલ માર્યાં તેનો છોકરો મારી છોકરી લઈને ભાગી ગયો
શ્રદ્ધાની હત્યાના વિરોધમાં હિન્દુ એકતા મંચે મંગળવારે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ આ દરમિયાન સ્ટેજ પર ઝઘડો થયો હતો. એક મહિલાએ સ્ટેજ પર હાજર એક વ્યક્તિને ચપ્પલથી માર માર્યો હતો. સ્ટેજ પર હાજર અન્ય લોકોએ વચ્ચે પડીને મહિલાને શાંત પાડી હતી અને યુવાનને છોડાવ્યો હતો.
આફતાબે જે ઠેકાણે શ્રદ્ધાની હત્યા કરી તે ઠેકાણે ગોઠવાણી મહાપંચાયત
હિન્દુ એકતા મંચે શ્રદ્ધાને ન્યાય અપાવવા માટે દિલ્હીના છતરપુર વિસ્તારમાં આ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પંચાયત એ જ વિસ્તારમાં હતી જ્યાં આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. બેટી બચાવો ફાઉન્ડેશને પણ મહાપંચાયતને ટેકો આપ્યો હતો.
મહિલાનો આરોપ, જેને ચંપલથી માર માર્યો તેનો છોકરો મારી છોકરીને ભગાડીને લઈ ગયો
મહિલાનો આરોપ છે કે તેણે જે વ્યક્તિને ચંપલથી માર માર્યો હતો તેનો છોકરો મારી છોકરીને લઈને ભાગી ગયો છે અને આની ફરિયાદ કરવા હું આવું છું, ન્યાય માટે હું અહીંથી તહી ભટકી રહી છું છતાં મને ન્યાય મળ્યો નથી.
#WATCH दिल्ली: छतरपुर में हिंदू एकता मंच के कार्यक्रम 'बेटी बचाओ महापंचायत' के दौरान एक महिला ने एक व्यक्ति की मंच पर चप्पल से पिटाई की। pic.twitter.com/q9hO7PeZjQ
ફરિયાદ લઈને આવેલી મહિલાને યુવાને ધક્કો મારતા રણચંડી બની
મહાપંચાયત દરમિયાન એક મહિલા પોતાની ફરિયાદ સંભળાવવા માટે સ્ટેજ પર ચડી હતી. આ દરમિયાન યુવકે તેને માઇકથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ તે વ્યક્તિને ચપ્પલથી માર મારવાનું શરૂ કરી દીધું અને ઘડીભર તો અફરાતફરી મચી હતી અને છેવટે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
શું છે શ્રદ્ધા હત્યાકાંડ
આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બંને 8 મેથી દિલ્હીના મેહરૌલીમાં લિવ ઇન ફ્લેટમાં રહેતા હતા. અગાઉ બંને મુંબઈમાં રહેતા હતા. 18 મેના રોજ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આફતાબે તેની હત્યા કરી હતી. ત્યારબાદ આફતાબે તેના શરીરના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા હતા. તે દરરોજ રાત્રે મેહરૌલીના જંગલમાં લાશનો ટુકડો ફેંકવા જતો હતો. આફતાબની પોલીસે 12 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આફતાબ 1 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરાવવાનો છે.
આફતાબે કેમ કરી હત્યા, કારણ સામે આવ્યું?
શ્રદ્ધા મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. શ્રદ્ધા આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. આફતાબ સાથે આ વાત સારી રીતે ઉતરી ન હતી અને તેણે શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધા આફતાબના વલણ અને મારપીટથી કંટાળી ગઈ હતી. આવી સ્થિતિમાં તેણે આફતાબથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તે આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. 3-4 મેના રોજ શ્રદ્ધાએ પણ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આફતાબને આ વાત પસંદ ન આવી અને તેણે શ્રદ્ધાની હત્યા કરી નાખી.