મેડિકલ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે ભારતમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહનું પોર્સ્ટમોર્ટમ થઈ શકશે.
મેડિકલ ક્ષેત્રે સ્વાસ્થ્ય મંત્રીનો મોટો નિર્ણય
હવે રાત્રીના સમયે પણ પીએમ કરી શકાશે
અંગ્રજોના સમયની સિસ્ટમ હવે ખતમ : માંડવિયા
अंग्रेजो के समय की व्यवस्था खत्म!
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।
ભારતમાં હવે સૂર્યાસ્ત પછી મૃતદેહોનું પોર્સ્ટમોર્ટમ થઈઆ શકશે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતે જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે હોસ્પિટલો પાસે રાતે પીએમ કરવાની સુવિધા છે. તે સૂર્યાસ્ત પછી પણ પીએમ કરી શકશે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અંગ્રેજોના સમયની વ્યવસ્થા હવે ખતમ થઈ.
અંગદાન માટે પ્રાથમિકતાને આધારે પીએમ કરાશે
નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોર્સ્ટ મોર્ટમ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે. જેમા સૂર્યાસ્ત પછી જે હોસ્પિટલો પાસે પીએમ કરવાની સુવિધા છે, તે હોસ્પિટલો હવે પીએમ કરી શકશે. આ નિર્ણયને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રાતે પીએમ કરવાને લઈને પોર્સ્ટ મોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
હત્યા, આત્મહત્યા અને દુષ્કર્મ કેસમાં નહી થાય પોર્સ્ટમોર્ટમ
ઉલ્લેખનીય છે કે જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતી ન હોય ત્યારે પીએમ કરવામાં નહી આવે. એટલેકે હત્યા , આત્મહત્યા અને દુષ્કર્મ જેવા મામલે રાતે પોર્સ્ટમોર્ટમ કરવામાં નહી આવે. સરકારે તેના આ નિર્ણયને લઈને દરેક મંત્રાલયો તેમજ રાજ્ય સરકારોને જરૂરી સૂચનો આપ્યા છે.