BCCI એ ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી અને ટીમમાં ખેલાડીને સ્થાન મળ્યું છે જે એકલો જ આખી ઓસ્ટ્રેલિયાની ટીમને પછાડી શકે છે.
શુક્રવારે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી
આ ઓલરાઉન્ડરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
BCCI એ અચાનક આ ખેલાડીને ટીમમાં જગ્યા આપીને દરેક લોકોને ચોંકાવી દીધા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચ માટે શુક્રવારે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમની ખાસ વાત એ છે કે ઘણા ખેલાડીઓને લાંબા સમય પછી આ ટીમમાં એન્ટ્રી મળી છે અને ભારતની ધરતી પર રમાનારી આ ટેસ્ટ સીરિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. WTC પોઈન્ટ મેળવવા માટે બંને ટીમો વચ્ચે કુલ ચાર મેચો રમાશે. જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીએ રમાનારી આ સિરીઝ માટે એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે એકલો જ આખી ઓસ્ટ્રેલિયાની ટીમને પછાડી શકે છે. જો કે ભૂતકાળમાં પણ આ ખેલાડી ઘણી વખત બેટ અને બોલની સાથે સાથે તેની ફિલ્ડિંગથી ઓસ્ટ્રેલિયાને પોતાના દમ પર હરાવી ચૂક્યો છે. ચાલો જાણીએ કોણ છે એ ખેલાડી..
આ ઓલરાઉન્ડરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલ આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રવિન્દ્ર જાડેજા છે. જણાવી દઈએ કે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા રવીન્દ્ર જાડેજાને 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI એ અચાનક રવીન્દ્ર જાડેજાને ટીમમાં જગ્યા આપીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયાની પહેલી બે મેચ નાગપુર અને દિલ્હીમાં રમાવવાની છે.
𝗡𝗢𝗧𝗘: Ravindra Jadeja’s inclusion in the squad is subject to fitness.#TeamIndia | #INDvAUS
આ કારણે ટીમની બહાર હતો જાડેજા
ભારતીય સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022 દરમિયાન ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે, પણ હવે જાડેજા ઘૂંટણની સફળ સર્જરી બાદ મેદાનમાં પરત ફર્યો છે. હવે તેને ટીમમાં ફરી એન્ટ્રી મળી છે, જો જાડેજાના ટેસ્ટ આંકડાઓ પર એક નજર કરીએ તો 60 મેચમાં 36.56ની એવરેજથી 2523 રન બનાવ્યા છે અને એ સાથે જ 242 વિકેટ પણ લીધી છે.
ટેસ્ટ સીરીઝ સિવાય બીસીસીઆઈએ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે અને ટી20 સીરીઝ માટે પણ ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં કેપ્ટનશીપ કરશે જ્યારે ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓને ટી-20 શ્રેણી માટે સામેલ કરવામાં આવ્યા નથી.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટેઇન), ઇશાન કિશન (વિકેટેઇન), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર આધાર રાખે છે), મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.