શિખર ધવન માટે આવતીકાલની વન ડેની સીરિઝની છેલ્લી મેચ 'કરો યા મરો'ની મેચ હશે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં શિખર ધવન તેની સૌથી મોટી ભૂલ સુધારવા માંગશે
ન્યુઝીલેન્ડ સામે ODI સીરિઝની ત્રીજી મેચ 30 નવેમ્બરના રમાશે
આ મેચમાં કેપ્ટન ધવન પોતાની સૌથી મોટી ભૂલ સુધારશે
ટીમની ભલાઈ માટે કેપ્ટન ધવન આ ફ્લોપ ખેલાડીને કરશે ડ્રોપ!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ 27 તારીખના રમાવવાની હતી પણ આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. હવે ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં આવતી કાલે એટલે કે 30 નવેમ્બરે રમાવાની છે અને હાલ ન્યુઝીલેન્ડની ટીમ 1-0 થી આગળ છે.ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડે વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને તેને અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.વનડેની પહેલી મેચ પછી ટીમ ઈન્ડિયા બીજા મેચમાં બે ફેરફાર સાથે ઉતરી હતી અને એ મેચમાં સંજુ સેમસનને જગ્યા મળી નહતી. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવન માટે આવતીકાલની વન ડેની સીરિઝની છેલ્લી મેચ 'કરો યા મરો'ની મેચ હશે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં શિખર ધવન તેની સૌથી મોટી ભૂલ સુધારવા માંગશે અને આ માટે ટીમ ઈન્ડિયાના હાલના વન ડે કેપ્ટન શિખર ધવન કોઈ પણ ભોગે ફ્લોપ ખેલાડીને પડતાં મૂકી શકે છે. જો એમ કરવામાં ન અવાયું તો ભારતીય ટીમને બીજી હારનો સામનો કરવો પડી શકે છે.
કેપ્ટન ધવન પોતાની સૌથી મોટી ભૂલ સુધારશે
જણાવી દઈએ કે અમુક ખેલાડીઓ પોતાના ખરાબ પ્રદર્શનને કારણે આ ખેલાડી હવે ટીમ ઈન્ડિયા પર બોજ બની ગયા હોય એવું લાગી રહ્યું છે. તેમાંથી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચમાં આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોતાં એવા એંધાણ છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ ઋષભ પંતના ફ્લોપ પ્રદર્શનનો બોજ વહન કરી રહ્યું છે અને તેને કારણે તકની રાહ જોતા ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની કારકિર્દી બરબાદ થઈ રહી છે.
ટીમની ભલાઈ માટે કેપ્ટન ધવન આ ફ્લોપ ખેલાડીને કરશે ડ્રોપ!
છેલ્લા ઘણા સમયથી ઋષભ પંતના ખરાબ પ્રદર્શન છતાં તેને સતત તક આપવામાં આવી રહી છે પણ તેની સામે સંજુ સેમસન જેવા વિકેટ કીપર બેટ્સમેનને એક મેચ બાદ જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવે છે. જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં ઋષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરતા માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો અને છતાં પણ જ્યારે શિખર ધવને તેને બીજી વનડેમાં પણ તક આપી ત્યારે ગબ્બરની કેપ્ટનશીપ પરઘણા સવાલો ઉભા થયા હતા.
ધવન પાસે છે પોતાની ભૂલ સુધારવાની તક
ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝની છેલ્લી મેચમાં શિખર ધવન પાસે પોતાની ભૂલ સુધારવાની તક હશે અને આ ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી ઋષભ પંતને હટાવીને સંજુ સેમસનને તક આપવી યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. જો સંજુ સેમસને પણ રિષભ પંત જેટલી તકો મળે તો તે તેની વિસ્ફોટક બેટિંગથી દરેકનો વિશ્વાસ જીતી શકે છે.