છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્કોએ જેટલી લોનની વસૂલાત કરી છે તેનાથી સાત ગણી વધુ લોન તેમણે માંડવાળ કરી નાંખી છે. મતલબ કે મોદી સરકારમાં રૂ. ત્રણ લાખ કરોડથી વધુની રકમનો ચૂનો સરકારી બેન્કોને લાગી ગયો છે તેમ રિઝર્વ બેન્કે જારી કરેલા આંકડામાં જણાવાયું છે.
રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડામાં આ માહિતી બહાર આવી છે. એપ્રિલ 2014થી એપ્રિલ 2018 સુધી 4 વર્ષમાં દેશની 21 સરકારી બેન્કોએ 316500 કરોડ રૂપિયા ડૂબાડ્યા છે.
એપ્રિલ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી દેશની ૨૧ રાષ્ટ્રીયકૃત બેન્કોએ રૂ. ૩ ૧૬ ૫૦૦ કરોડની લોનને રાઇટ ઓફ કરી દીધી છે મતલબ કે ઘાલખાધમાં નાંખી દીધી છે.
તેની સામે બેન્કોએ માત્ર રૂ. ૪૪ ૯૦૦ કરોડની લોન જ વસૂલી છે. જેટલી લોનને માંડવાળ ખાતામાં નાંખવામાં આવી છે તેના પર નજર કરીએ તો તે વર્ષ ૨૦૧૮-૧૯માં આરોગ્ય શિક્ષણ અને સામાજિક સુરક્ષા પર નક્કી થયેલા કુલ બજેટ રૂ. ૧.૩૮ લાખ કરોડથી બેગણી વધુ છે. આ ચાર વર્ષ દરમિયાન 21 બેન્કોએ જેટલી લોન લખીવાળી તે 2014થી પહેલાના 10 વર્ષના સમયમાં કુલ લખીવાળેલી લોનના 166%થી પણ વધુ છે. જો કે સંસદની નાણાંકીય બાબતોની સ્થાયી સમીતિ સમક્ષ રજૂ કરાયેલા રિઝર્વ બેન્કના આંકડા મુજબ માર્ચ 2018 સુધી 4 વર્ષમાં લોનની વસૂલાતનો દર 14.2% રહ્યો છે.
જે ખાનગી બેન્કોના 5%ની સરખામણીએ 3 ગણો વધુ છે. કુલ બેન્ક એસેટમાં 21 સરકારી બેન્કોનો હિસ્સો 70% છે. જ્યારે બેન્કીંગ સેક્ટરની કુલ એનપીએમાં તેનો હિસ્સો 86% છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને તેને 'મોદી કૃપા' અને ' પબ્લિક લૂંટ' ગણાવ્યાં છે.
આ ચાર વર્ષોમાં ૨૧ બેન્કોએ જેટલું દેવું ઘાલખાધ ખાતામાં નાંખી દીધું છે તે ૨૦૧૪ અગાઉના ૧૦ વર્ષ સુધી ધાલખાધ ખાતામાં નાખવામાં આવેલી રકમથી ૧૬૬ ગણાંથી પણ વધુ છે. જોકે સંસદની નાણાં અંગેની સ્થાયી સમિતિ સામે રજૂ કરાયેલા રિઝર્વ બેન્કના આંકડા મુજબ માર્ચ ૨૦૧૮ સુધી ચાર વર્ષમાં લોનના વસૂલાતની ટકાવારી ૧૪.૨ ટકા રહી છે જે ખાનગી બેન્કોના પાંચ ટકાની સરખામણીએ ત્રણ ગણી વધુ છે.
આંકડા પર નજર રાખીએ તો કુલ બેન્ક એસેટમાં ૨૧ રાષ્ટ્રીયકૃત બેન્કોનો ભાગ ૭૦ ટકા છે તો બેન્કિંગ સેક્ટરમાં કુલ એનપીએમાં તેમનો હિસ્સો ૮૬ ટકા જેટલો છે. ઉલ્લેખનીય છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોમાં સતત ઇક્વિટી નાખીને અથવા અન્ય રીતે તેમની બેલેન્સ શીટને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે તેમ છતાં તેમના ખાતામાં બેડ લોન અથવા ફસાયેલા દેવાનું પ્રમાણ વધી રહ્યું છે.
નને 'રિટન ઓફ' એકાઉન્ટમાં નાખવા અથવા 'રાઇટ ઓફ' કરવાનો મતલબ છે કે તે લોનને વસૂલ્યા વગર બેન્કની બેલેન્સ શીટમાંથી બહાર કરી દેવાય છે મતલબ કે માંડવાળ કરી દેવાય છે.