રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં છવાયો વરસાદી માહોલ
રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આહાહી
આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એક જ દિવસમાં 7.43 મીમી વરસાદ ખોબકી ચુક્યો છે જ્યારે ઉમરપાડમાં એક દિવસમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના માંગરોળમાં 3 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં અઢી ઈંચ, ભાવનગરના મહુવા અને ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ અને ભરૂચના વાલિયા અને બનાસકાઠાના ડીસામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આહાહી
ગુજરાતમાં આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં વરસાદ પડશે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગર, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં પણ હળવો વરસાદ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે બુધવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી 29 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે શરૂઆતમાં જ સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાલનપુરમાં હાઈવે પર ભારે વરસાદને કારણે ખાડા પડ્યા
પાલનપુરમાં એક દિવસ પહેલા રાત્રિ દરમિયાન ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે જેથી ભારે વરસાદ પડવાથી અનેક ગામો અને વિસ્તારો બેટમાં ફેરવાયા ગયા હોવાનું જોવા મળ્યું તો બીજી તરફ પાલનપુર થી રાજસ્થાન જતા નેશનલ હાઇવે પર વરસાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો વરસાદને કારણે હાઈવે પર ખાડા પણ પડી ગયા હોવાનું સામે આવ્યું છે જેને કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડી રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન ને જોડતો નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનો ને રિટર્ન જવું પડ્યું હાઇવે પર પડેલા ખડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે મહત્વનું છે કે હાઈવે પરથી રોંજિદા હજારો વાહનો પસાર થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૂટેલા રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાજ્યમાં વરસાદ ના હોય તેવો એકપણ તાલુકો નહીં
રાજ્યમાં પડેલા કુલ વરસાદની ટકાવારી 10.38 ટકા નોંધાઈ છે. જ્યારે રાજ્યમાં 84 તાલુકામાં 0થી 2 ઇંચ વરસાદ નોઁધાયો છે તો 115 તાલુકામાં 2થી 5 ઇંચ વરસાદ થયો છે 43 તાલુકામા 5થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે 9 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ વરસ્યો છે આમ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ વરસ્યો ન હોય.