ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસથી પાકિસ્તાન મરીન ભારતીય જળસીમા પાસે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.
ભારતીય જળસીમામાં પાકિસ્તાન મરીનનું પેટ્રોલિંગ
પાક. મરીન રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે પેટ્રોલિંગ
ભારતે પણ વળતી કાર્યવાહીમાં વધાર્યું પેટ્રોલિંગ
ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસથી પાકિસ્તાન મરીન ભારતીય જળસીમા પાસે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. ગઇકાલે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક માછીમારનું મોત નીપજ્યું હતું. માછીમારીની સિઝન શરૂ થતાંની સાથે પાકિસ્તાન મરીન દ્વારા અવળચંડાઇ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જળસીમા પાસે પાકિસ્તાની મરીન રાત્રિના સમયે પણ તૈનાત રહે છે.પાકિસ્તાની મરીનની અવળચંડાઇ બાદ ભારતીય નેવી દ્વારા પણ જળસીમા પાસે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ભારતીય માછીમારોને પાકિસ્તાની જળસીમા તરફ જતા નેવી અટકાવશે.
પાકિસ્તાને ભારતીય જળસીમા માછીમારી કરતા માછીમારો પર ફાયરિંગ કરાયું હતું, ગુજરાતના દ્રારકા દરિયાઈ સીમામાં માછીમારી કરતા માછીમારો પર ગોળીબાર કરતા એક માછીમારનું મોત થયું છે. જ્યારે પાક મરિન દ્વારા 6 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાતમાં પાકિસ્તાન મરિનના 10 જવાનો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અરબ સાગરમાં માછીમારો જ્યારે દરિયામાં બોટમાં સવાર હતા તે દરિમાયન એકાએક પાક મરિન જવાનો દ્વારા બોટ પર ગોળીમાર કરાયો હતો જેમાં એક માછીમારનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલાને મામલે પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ મથકમાં પાક કરિન જવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ભારતીય જળસિમામાં પાકની નાપાક હરકત
પાકિસ્તાન અવાન નવાર માછીમારોનું અપહરણ અને સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક વાર પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી જેમાં પાકિસ્તાન મરીન્સે ગુજરાતના દ્વારકામાં દરિયામાં ભારતીય સિમામાં માછીમારી કરી રહેલા માછીમાર પર ફાયરિંગ કર્યું હતું, બોટ પર ગોળીાર કરતા બોટમાં સવાર માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં આજે એક ભારતીય માછીમારનું મોત થયું છે. ગઈ કાલે પાક દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પાકિસ્તાને 6 જેટલા માછીમારોનું અપહરણ
આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા અન્ય 6 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. જેને લઈને હવે ભારત હરકતમાં આવ્યું છે. ભારત દ્વારા પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારે વિરોધ નોંધાવામાં આવ્યો છે. અને આંતરાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ નોંધાવશે તેવું પણ મનાઈ રહ્યું છે. પાકિસ્તાન એજન્સીઓએ ભારતને ઉશ્કેરવા માટે ફાયરિંગ કર્યું જેમાં એક ભારતીય માછીમારનું મોત નિપજ્યું છે.
પાક. મરીન્સના ગોળીબારમાં એક માછીમારીનું મોત
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું હતું તેને જલ પરી કહેવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. દરમિયાન ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન્સે હુમલો કર્યો ત્યારે બોટ ભારતીય સરહદની અંદર હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું તેનું નામ જલપરી
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું હતું તેને જલ પરી કહેવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. દરમિયાન ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન્સે હુમલો કર્યો ત્યારે બોટ ભારતીય સરહદની અંદર હોવાના અહેવાલ છે.