બનાસકાંઠાના અમીરગઢના કેદારનાથમાં આધેડ ઉમરના સાધુ પર રિંછે હુમલો કર્યો હતો. વેરા ગામથી કેદારનાથ માર્ગ પર પસાર થતા સમયે રીંછે સાધુ પર હુમલો કર્યો હતો. સાધુને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીયે તો બનાસકાંઠાં જીલ્લાના અમીરગઢ તાલુકાના કેદારનાથમાં સાધુ પર રિંછે હુમલો કર્યો હતો. રિંછે હુમલો કરતા સાધુએ બુમાબુમ કરી હતી. સાધુની બુમો સાંભળતા ગ્રામજનો એકઠ્ઠા થયા હતા. લોકોની ભીડ થતા રીંછ જંગલ તરફ ભાગ્યુ હતુ.
આ ઘટનામાં રીંછ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત સાધુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.