ભાજપના ધારાસભ્યોની અધિકારીઓ સામેની નારાજગીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગંભીરતાથી લીધી છે અને તમામ પ્રભારી મંત્રીઓને પોત-પોતાના જિલ્લાઓના પ્રવાસ કરવાના આદેશ આપ્યા છે.
દરેક પ્રભારી મંત્રીઓએ એટલે કે ધારાસભ્યોએ અઠવાડીયામાં ત્રણ દિવસ એટલે કે શુક્ર શનિ અને રવિવારે પોત-પોતાના જિલ્લાની મુલાકાત કરવી પડશે.
ધારાસભ્યોએ અઠવાડીયામાં ત્રણ દિવસ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવું પડશે. આ ઉપરાંત વિકાસના કોર્યોમાં અને જનતાના પ્રશ્નોમાં પણ ધ્યાન આપવું પડશે.