દેશભરમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ નવા કેસ આવ્યા છે. તેમાં કોરોનાના 2 નવા લક્ષણ સામે આવ્યા છે તેનાથી ચેતવુ જરૂરી છે.
કોરોના વાયરસના નવા લક્ષણ આવ્યા સામે
આ 2 નવા લક્ષણથી શરીરને થાય છે નુકસાન
નવા સ્ટ્રેનથી બચવા માટે કરો પ્રોટોકોલને ફોલો
કોરોના વાયરસના નવા લક્ષણ
ડૉક્ટર્સના કહ્યાં અનુસાર આ વખતે કોરોના વાયરસનું સંક્રમણ સીધુ કાન અને આંખ પર અસર કરી રહ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેન આ વખતે વાયરલ ફીવર, પેટનો દુખાવો, ડાયેરિયા, અપચો, ગેસ, ઉલ્ટી, ઝાડા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો સાથે આવ્યો હતો પરંતુ સંક્રમણ વધવાની સાથે કેટલાક નવા લક્ષણ પણ સામે આવ્યા છે.
એક્સપર્ટે સ્ટ્રેન પર શું કહ્યું
મહત્વનું છે કે એસજીપીજીઆઇ અને કેજીએમયુ સહિત ઘણી કોવિડ હોસ્પિટલમાં એડમીડ કોરોના દર્દીને જોવામાં અને સાંભળવામાં પરેશાની થઇ રહી છે. ડૉક્ટર્સે કહ્યું કે ઘણા એવા દર્દી છે જેને આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. આ સિવાય આંખે ઓછુ દેખાવાની પણ ફરિયાદ છે. કોરોનામાં સ્થિતિ ગંભીર થઇ જવા પર તે શરીરના અલગ અલગ હિસ્સા પર પ્રભાવ પાડે છે.
નવા સ્ટ્રેન સાથે જોડાયેલી સારી વાત શું
તેમણે આગળ જણાવ્યું કે કોરોનાએ જે પ્રકારે પોતાનુ રૂપ બદલ્યુ છે તે બાદ ચિંતા વધી ગઇ છે. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવુ જ એક ઉપાય છે. જો કે નવા વેરિએન્ટમાં રાહતની વાત તે છે તે નવો સ્ટ્રેન સારી ઇમ્યૂનિટીવાળા વ્યક્તિને વધારે પરેશાન નથી કરતો. 5-6 દિવસમાં તે વ્યક્તિ ઠીક થઇ જાય છે.
લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.