કોરોના મહામારીમાં રાજ્યોની બેદરકારી અને લૂંટ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. સુપ્રીમે તમામ રાજ્યો એમ્બ્યુલન્સ સર્વિસ માટે વસૂલાતા ભાવને લઈને આકરું વલણ અપનાવ્યું હતું.
કોરોના મામલે કેન્દ્રની ગાઈડલાઇનને અનુસરવા આપી સૂચના
કોવિડ દર્દીઓ માટે યોગ્ય એમ્બ્યુલન્સ ભાડું નક્કી કરવા કર્યો આદેશ
કોવિડ દર્દીઓ માટે દરેક જિલ્લામાં પૂરતી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવે રાજ્યો: સુપ્રીમ કોર્ટ
કોરોના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સ સર્વિસ માટે વધારે પૈસા વસુલવા અંગે તમામ રાજ્યોને યોગ્ય ભાડું નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે તમામ રાજ્ય મહામારી સામે પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીથી બંધાયેલા છે અને તમામ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોવિડ દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે દરેક જિલ્લામાં પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે.
શું છે ભારતમાં કોવિડ અપડેટ?
નોંધનીય છે કે હાલમાં ભારતમાં કોરોનાના કેસો 45 લાખના ટોટલ માર્કને ક્રોસ કરી ગયા છે, છેલ્લા અમુક દિવસોથી ભારતમાં રોજ દૈનિક 80000થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 95 હજારથી વધુ કોવિડ કેસો નોંધાયા હતા, જે બાદ કુલ સંક્રમિતોનો આંકડો 45,68,770 થયો છે, જ્યારે કે દેશમાં કુલ મૃત્યુનો આંકડો 76,348 નોંધાયો છે. દેશમાં હાલમાં 35 લાખથી વધુ લોકો સાજા થઈને પરત ફર્યા છે જ્યારે કે 947628 કેસો સારવાર હેઠળ છે.
જો કે રાહતની વાત છે કે દેશમાં હાલ રિકવરી રેટ 77 ટકાથી ઉપર છે અને કોરોનાના લીધે મૃત્યુનો દર દુનિયામાં સૌથી નીચો 1.7 ટકા જેટલો જ નોંધાયો છે. છતાં પણ ભારત હાલ વિશ્વમાં કુલ કેસોની સંખ્યામાં બીજા ક્રમ પર છે જે એક ચિંતાજનક બાબત છે.