દેશના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ બાદ આવેલા પૂરના કારણે કહેર વર્તાઈ રહ્યો છે. મણિપુરમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે હજારો લોકોને બેઘર કરી દીધા છે. આ ઉપરાંત અનેક લોકોનું સ્થળાંતર કરવું પડયું.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મણિપુરમાં વરસાદના કારણે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નદીમાં ગાંડીતૂર બાળી છે નદીઓમાં આવેલા પૂરના પાણી ગામડાઓમાં ઘુસી ગયા છે આ ઉપરાંત ખેતરો પણ ધોવાઈ ગયા છે તો કેટલાક ગામડાઓમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદે ચોતરફ તારાજી સર્જી હતી. મણિપુરની રાજધાની ઈમ્ફાલ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગઇ હતી અને પૂરના કારણે સ્થિતિ વણસી ગઈ હતી.