1965 અને 1971ના યુદ્ધમાં રણછોડ પગીની મદદથી ભારતીય સેનાએ પરાક્રમ કરેલું, રણછોડ પગીએ પાકિસ્તાનના 1200 જેટલા સૈન્યની માહિતી આપીને ભારતીય સેનાના વિજયમાં મોટો ફાળો ભજવ્યો
પગેરું શોધી કાઢવાની અદભૂત કુનેહ
સૈન્યએ આપ્યુ અનુપમ બહુમાન
આ વાત છે રણછોડ દાસ પગીની
આપણે 1971ના યુદ્ધના હીરો તરીકેજનરલ સામ માણેકશાને તો જાણતા જ હોઈશું, પરંતુ આવો હોનહાર અને જાંબાજ વ્યક્તિ પણ જેનું નામ રટ્યા કરતો હોય, તો તેનો મતલબ એ કે, એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં જ હોય, એનો પુરાવો જૂની પેઢીને તો મળ્યો જ છે પરંતુ હવે નવી પેઢી પણ ગુજરાતના એ જાંબાજના ગુણ ગાતા થાકશે નહીં, કેમકે હવે ગુજરાતનો જૂની પેઢીનો એ હીરો, થિયેટરો અને સોશિયલ મીડિયા પર નવી પેઢીને ઘેલી કરવા આવી રહ્યો છે, તો કોણ છે ગુજરાતી વીર જેને દુશ્મનો સુધી પહોંચવાના તેના પગેરુનું શોધી કાઢતો હતો.
કોઠાસૂઝના માલિક રણછોડદાસ પગી
અજય દેવગનની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ છે `ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'. જેમાં સંજયદત્તે જેની ભૂમિકા નિભાવી છે તે પાત્ર સાથે ગુજરાતની ધરતીનું જોડાણ છે, `પગી' નામથી વિખ્યાત એવા રણછોડદાસ રબારીની કોઠાસૂઝ અને સાહસનો પરિચય તમને સંજયદત્તની ભૂમિકામાં મળશે, એક વર્દી વગરનો યૌદ્દો જીવ સટોસટના જંગમાં પોતાની આગવી કોઠા સૂઝથી કેવું પરાક્રમ દર્શાવી શકે છે તે વાત રણછોડદાસ રબારીનું પાત્ર જોમ અને જુસ્સા પૂર્વક કહી જાય છે ગુજરાતના ગૌરવ અને પરાક્રમના મહાનાયક એક એવા એક પગીની રણછોડદાસ પગી આ નામ કદાચ નવી પેઢી માટે અજાણ્યું હશે, પરંતુ નવી પેઢી જો ઈતિહાસના પાથના ઉથલાવશે તો રણછોડ દાસ પગીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત જોવા મળશે.
પગીની પોલીસ ગાઈડ તરીકે નિયુક્ત કરી
રણછોડદાસ પગીનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પેથાપૂર ગથડો ગામમાં થયો હતો, રણછોડદાસનું મોટાભાગનું જીવન પશુપાલન સાથે વ્યતીત થતું રહ્યું, પરંતુ 58માં વર્ષે તેમની જિંદગી એકદમ બદલાઈ ગઈ, ઉંમરનો આ એ પડાવ હતો જ્યારે લોકો નિવૃત્તિ લેવાનું વિચારતા હોય છે, પરંતુ આ ઉંમરે રણછોડદાસ માટે તેમની કળાએ કંઈક જુદો જ પંથ નિરમ્યો હતો.તેમની પગેરું શોધવાની કળાથી બનાસકાંઠાના તત્કાલિન પોલીસ સુપરિન્ટેન્ટ વનરાજસિંહ ઝાલા પ્રભાવિત થઈ ચૂક્યા હતા તેમણે તાત્કાલિક અસરથી રણછોડદાસને પોલીસ ગાઈડ તરીકે નિયુક્ત કરી દીધા
પોતાની કોઠા સૂઝમાં એટલા માહેર
કહેવાય છે કે પગી તરીકે ઓળખાતા આ રણછોડ દાસ પાસે પગેરું શોધી કાઢવાની ખાસ કળા હતી. તેઓ પોતાની કોઠા સૂઝમાં એટલા માહેર હતા કે, ઊંટના પગના નિશાન જોઈને જ ખાતરી પૂર્વક કહી શકતા હતા કે ઊંટ પર કેટલા જણા સવાર હશે, એટલું જ નહીં માણસના પગલાંના નિશાન જોઈને જ તે વ્યક્તિની ઉંમર, તેનો વજન, તે કેટલો દૂર સુધી ચાલ્યો હશે તેનો અંદાજો લગાવી શકતા હતા, કોઠાસૂઝના માલિક એવા રણછોડદાસપગીનો આ હુન્નરે આગળ જઈને તેમને ભારતીય સેનાનો હિસ્સો બનાવી દીધો, તમનો ભારતીય સેનામાં સ્કાઉટ તરીકે ભરતી કરવામાં આવ્યા.
દુશ્કમનોનું પગેરું શોધવામાં માહેર
1965માં ભારત પાકિસ્તાન યુદ્ધની ઠીક પહેલા પાકિસ્તાની સેનાએ કચ્છ સરહદના અનેક ગામો પર કબજો જમાવી દીધો હતો, ઠીક એવા સમયે દુશ્મનની ભાળ મેળવાનું રણછોડદાસ પર જવાબદારી આવી, પગીએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી, જંગલમાં અંધારમાં છૂપાયેલા બારસો સૈનિકોનું તેમણે પગેરું શોધી કાઢ્યું હતું, જેના કારણે ભારતીય સેનાના જવાનોને દુશ્મન પર સફળતા પૂર્વક હુમલો કરી શક્યા હતા, રણછોડદાસ પગીની રણના રેતાળ સસ્તા પર ભારે પકડ હતી, જેના ફળસ્વરૂપ એક અન્ય મિશનમાં તેમણે ભારતીય સેનાને નિર્ધારિત સમયથી 12 કલાક વહેલા લક્ષ્ય સુધી પહોંચાડી દીધા હતા, આ મિશન માટે સામ માણેકશા એ પોતે તેમને પસંગ કર્યા હતા, સામ માણેકશાએ જ રણછોડ દાસ માટે 'પગી' નામનું વિશેષ પદ ઉભું કર્યું હતું.
ભોમિયાનું 113 વર્ષની ઉંમરે અવસાન
મહત્વનું છે 1971ના યુદ્ધના કેન્દ્ર પર ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું નિર્માણ થયું છે જેમાં અજય દેવગનની મુખ્ય ભૂમિકા જોવા મળે છે રણછોડ પગીનો રોલ સંજય દત્ત કર્યો છે. ફિલ્મમાં સંજય દત્તનું નામ રણછોડ રબારી રખાયું છે. રણછોડ રબારી ભાગલા પહેલા ભારતના હાલના પાકિસ્તાનમાં જન્મા હતા. તેઓ પાકિસ્તાની સૈન્યના શસ્ત્રો છિનવીને રણમાર્ગે કચ્છ અને બનાકાંઠે આવીને વસ્યા હતા. 17 જાન્યુઆરી 2013ના રોજ આ ભોમિયાનું 113 વર્ષની ઉંમરે અવસાન થયું. કચ્છ-બનાસકાંઠા સરહદ પાસે સુઇગામની બીએસએફ બોર્ડરને રણછોડદાસ બોર્ડર નામ આપી તેઓની પ્રતિમા પણ સ્થાપિત કરાઇ છે.