ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 359 રન બનાવીને ઇંગ્લેન્ડને જીત માટે 74 રનનો લક્ષ્ય આપ્યો છે. ત્યાં જ સ્ટંપ થવા સુધી ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 38 રન બનાવી લીધા છે.
શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મૅચ
સેહવાગે ઉડાવી વીડિયોની મજાક
ઇંગ્લેન્ડ મૅચ જીતે તેવી શક્યતા
ચોથા દિવસે ખેલ પૂર્ણ થવા સુધીમાં જોની બેયરસ્ટો 11 અને ડેન લોરેન્સ 7 રન બનાવીને ક્રિઝ પર હાજર હતા. ઇંગ્લેન્ડે પહેલી ઓવરમાં ડોમ સિબલેને ગુમાવી દીધો હતો.
ભારતીય બૉલર્સે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 294 રન પર ઓલઆઉટ કરી દીધા હતા. સાથે જ ઇન્ડિયાને સિરીઝ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ પહેલા ભારતની પહેલી ઇનિંગ 336 રન પર પૂર્ણ થઇ ગઇ હતી. ભારત જો બ્રિસ્બેનમાં ટેસ્ટ મૅચ જીતી લે છે તો તે સિરીઝ પર 2-1થી જીત મેળવી લેશે.
આ સિવાય જો મૅચ ડ્રો થાય છે તો સિરીઝ 1-1થી બરાબર થઇ જાય છે. આ રીતે પણ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ભારત પાસે જ રહેશે કારણકે છેલ્લી મૅચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યુ હતુ.
ડિકવેલાએ મારી દીધો થપ્પડ
આ મૅચમાં ખતરનાક ઘટના બની હતી. ઇંગ્લેન્ડના ત્રણ વિકેટ જે રીતે પડી તે રીતે ટીમમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. બધા જ ખેલાડીઓ હાથ મિલાવી રહ્યાં હતા. આ વચ્ચે શ્રીલંકાના વિકેટકીપર નિરોશન ડિકવેલાએ જશ્ન મનાવવા ખેલાડીઓને હાઇફાઇવ આપવા લાગ્યો પરંતુ તેણે ભૂલથી તેણે થપ્પડ મારી દીધો હતો.
આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ત્યારે ભારતના દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે આ ઘટનાની ખુબ મજાક બનાવી હતી. તેણે વીડિયો શૅર કરતા લખ્યું કે, તમે આ રીતે કોને પંજો મારવા માંગશો.
જીત નજીક ઇંગ્લેન્ડ
ચોથા દિવસે ખેલ સમાપ્ત થવા સુધી ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 38 રન બનાવી લીધા છે. હવે ઇંગ્લેન્ડને જીત માટે 36 રનની જરૂર છે. આ પહેલા શ્રીલકાએ પોતાના સ્કોરમાં ત્રણ વિકેટ ગુમાવીને 57 રન જોડી દીધા હતા અને બીજી ઇનિંગમાં 359 રન પર પૂર્ણ કરી હતી. જેમાં તિરિમાને 111 રન સિવાય અનુભવી મેથ્યુઝે 71 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 421 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
ઇંગ્લેન્ડે સ્પિનરોને કારણે બીજા સત્ર અને ત્રીજા સત્રમાં સફળતા હાંસલ કરી હતી. સ્પિનર જેક લીચે 122 રન આપીને 5 વિકેટ લીધી હતી, જ્યારે ડૉમ બેસે 100 રન આપીને 3 વિકેટ લીધી હતી.