કોરોના મહામારી વચ્ચે વડોદરાના બે ડૉક્ટરોએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યાની ગણતરીની મિનિટોમાં જ ફરજ પર ફરી હાજર થઈ ગયા
2 તબીબોએ ફરજને આપી પ્રાથમિકતા
બન્ને ડોક્ટરોએ માતાની છત્રછાયા ગુમાવી
અંતિમ સંસ્કાર બાદ ફરજ પર થયા હાજર
રાજ્યભરમાં કોરોના મહામારીમાં અનેક લોકો પોતાના સ્વજન ગુમાવી રહ્યા છે. ત્યારે માતમના માહોલમાં પણ ફરજ પ્રત્યે અડગ અને માનવતાને બચાવવા માટે મક્કમ ઈરાદાઓ ધરાવતા બે ડોક્ટરની કહાની સામે આવી છે. બંને ડૉક્ટરોએ કોરોનામાં પોતાના માતા ગુમાવ્યા. પરંતુ માતાના અંતિમ સંસ્કાર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તેઓ ફરજ પર પણ હાજર થઈ ગયા.
વડોદરાની એસએસજી હોસ્પિટલના ડોક્ટર શિલ્પા પટેલ અને ડોક્ટર રાહુલ પરમારને સલામ છે. જેમણે કોરોનાની મહામારીમાં તાજેતરમાં જ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. છતાં આ બંને ડોક્ટરોએ પોતાની ફરજને પ્રાથમિક્તા આપી છે. બંને ડોક્ટરો માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ ફરજ પર પરત ફર્યા છે.
ડોક્ટર રાહુલ પરમારની માતાનું મૃત્યુ લાંબી બીમારીના કારણે થયું છે. જ્યારે ડોક્ટર શિલ્પા પટેલના માતાનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. બંને ડોક્ટરોએ પોત-પોતાની માતાના અંતિમ સંસ્કાર પણ કર્યા. પરંતુ અંતિમ સંસ્કાર કર્યાના ગણતરિના કલાકોમાં જ તેઓ પોતાની ફરજ પર પરત ફર્યા. કારણ કે, તેઓ જાણે છે કે, હાલના સમયમાં તેમના માટે દુઃખમાં પડી ભાંગવું કોઈ રસ્તો નથી.
કારણ કે, તેમના માટે ગુજરાતના લાખો લોકોને બચાવવાની જવાબદારી છે. જેઓ મહામારી સામે લડી રહ્યા છે. બંને ડોક્ટર ડોવિડ કેરમાં જ કામ કરે છે. ત્યારે સ્વાભાવિક છે કે, ડોક્ટરની જરૂર પડવાની જ છે. અને હાલની સ્થિતિમાં તો ડોક્ટરોની પણ ઘટ વર્તાઈ રહી છે. આ બંને ડોક્ટરોએ આજે પોતાની ફરજને પ્રથમ પ્રાથમિક્તા આપી છે. જે ખુબ સરાહનીય છે. ત્યારે વીટીવી આ બંને વોરિયર્સના માતાને શ્રદ્ધાંજલિ આપતા તેમની ફરજ નિષ્ઠાને સલામ કરે છે.