ઉદયપુરમાં આજથી ત્રણ દિવસીય કોંગ્રેસ પાર્ટીનું ચિંતન શિબીર શરૂ થઈ ચુક્યું છે. જેમાં આંતરિક આમૂલ પરિવર્તન માટે કેટલીક ખાસ શરતો અને નિયમો પર ચર્ચા કરવામાં આવી છે.
ઉદયપુરમાં આજથી ત્રણ દિવસીય કોંગ્રેસ પાર્ટીનું ચિંતન શિબીર શરૂ
5 રાજ્યોમાં ચૂંટણી હાર બાદ પુનર્જીવિત કરવા માટે મંથન કરશે.
રાજ્યસભાના સભ્યો માટે ઉચ્ચ વય મર્યાદા અંગે પણ ચર્ચા કરાઈ
ઉદયપુરમાં આજથી ત્રણ દિવસીય કોંગ્રેસ પાર્ટીનું ચિંતન શિબીર શરૂ
રાજસ્થનના ઉદયપુરમાં આજથી ત્રણ દિવસીય કોંગ્રેસ પાર્ટીનું ચિંતન શિબીર શરૂ થઈ રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર સામે આવ્યા છે કે, આ શિબીરમાં પાર્ટીમાં આંતરિક આમૂલ પરિવર્તન માટે કેટલીક ખાસ શરતો અને નિયમો પર ચર્ચા કરવામાં આવી છે. આમાં ઉંમરનો મુદ્દો સૌથી મહત્વનો છે. આ સિવાય એક પરિવારમાંથી કેટલા લોકોને ટિકિટ આપી શકાય તેની પણ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક પરિવારમાં માત્ર એક જ ટિકિટ આપવા પર સહમતિ બની છે. જો કે ગાંધી પરિવારને છૂટછાટ આપવાની વાત પણ ચાલી રહી છે.
By now it has become abundantly & painfully clear what PM Modi and his colleagues really mean by their slogan 'Maximum governance, minimum government': Congress interim president Sonia Gandhi at the party's 'Nav Sankalp Chintan Shivir'
1/2 pic.twitter.com/bxNF1mN8QO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 13, 2022
5 રાજ્યોમાં ચૂંટણી હાર બાદ પુનર્જીવિત કરવા માટે મંથન કરશે.
ચિંતન શિબિરની શરૂઆત આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન કરી હતી કે, કેમ્પના અંતિમ દિવસે એટલે કે 15 મેના રોજ રાહુલ ગાંધી શિબિરને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની આ બેઠક 5 રાજ્યોમાં ચૂંટણી હાર બાદ યોજાઈ રહી છે. આ ચિંતન શિબીરમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 400 થી વધુ પદાધિકારીઓ, જેઓ ચૂંટણીના પરાજયને કારણે "અણધાર્યા કટોકટી" નો સામનો કરી રહ્યા છે, તેઓ પક્ષને પુનર્જીવિત કરવા માટે ઉદયપુરમાં ત્રણ દિવસ માટે મંથન કરશે.
રાજ્યસભાના સભ્યો માટે ઉચ્ચ વય મર્યાદા અંગે પણ ચર્ચા કરાઈ
નિર્ણાયક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા સુધારાના પ્રયાસો વચ્ચે, પાર્ટી મહત્તમ કાર્યકાળ સિવાય રાજ્યસભાના સભ્યો માટે ઉચ્ચ વય મર્યાદા અંગે પણ ચર્ચા કરી રહી છે. માનવામાં આવે છે કે આ ચિંતન શિબિરમાં પાર્ટીમાં ઓછામાં ઓછી અડધી જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત ગણવામાં આવશે. પક્ષના નેતાઓના જણાવ્યા મુજબ, આ દરખાસ્તો ચિંતન શિબિરમાં વિચારમંથન માટે ખુલ્લી મુકવામાં આવશે અને મંથન સત્રમાં વધુ ચર્ચા કરવામાં આવશે.
ऐसा माहौल पैदा किया गया है कि लोग लगातार डर और असुरक्षा के भाव में रहें। अल्पसंख्यकों को शातिर तरीके से क्रूरता के साथ निशाना बनाया जा रहा है। अल्पसंख्यक हमारे समाज का अभिन्न अंग हैं और हमारे देश के समान नागरिक हैं: 'चिंतन शिविर' में कांग्रेस अध्यक्ष सोनिया गांधी pic.twitter.com/WuoWTIoR2J
પાર્ટી પુનરુત્થાન યોજનાના ભાગરૂપે "એક પરિવાર એક ટિકિટ" નિયમ રજૂ કરાશે
આ અંગે એક મીડિયા રિપોર્ટમાં રાહુલ ગાંધીના નજીકના અને તેલંગાણાના મહાસચિવ માણિક ટાગોરે કહ્યું હતું કે, "પાર્ટીએ યુવાનોને પ્રતિનિધિત્વ આપવાની જરૂર છે કારણ કે ભારતની 60% વસ્તી 40 વર્ષથી ઓછી છે. તેને પણ અમલમાં મૂકવો પડશે." 2014ની ચૂંટણીની હાર પછી, પાર્ટી પુનરુત્થાન યોજનાના ભાગરૂપે "એક પરિવાર એક ટિકિટ" નિયમ રજૂ કરી શકે છે. તાજેતરમાં યોજાયેલી CWCની બેઠકમાં પણ આ વિવાદાસ્પદ નિયમની ચર્ચા કરવામાં આવી છે.
આગામી લોકસભા ચૂંટણી માટે પોતાને BJP સામે તૈયાર કરવા પર ભાર મૂકાયો
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરમિયાન, મુખ્ય ધ્યાન પાર્ટીમાં "સમયબદ્ધ અને જરૂરી ફેરફારો" કરવા પર હતું, "ધ્રુવીકરણની રાજનીતિ" સહિતના વિવિધ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી (BJP)નો અસરકારક રીતે સામનો કરવા અને આગામી લોકસભા ચૂંટણી માટે પોતાને તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે, ઉદયપુરમાં 13-15 મે દરમિયાન યોજાનાર આ ચિંતન શિબીર પછી જે 'નવ સંકલ્પ' દસ્તાવેજ જાહેર કરવામાં આવશે તે આગામી કાર્યક્રમોની ઘોષણા હશે. આમાં એવો સંદેશ પણ આપવામાં આવશે કે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન માટે ‘મજબૂત કોંગ્રેસ’ હોવી જરૂરી છે. આ શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષના સ્તરે ફેરફાર અંગે કોઈ ચર્ચા થઈ શકશે નહીં, કારણ કે તેની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે.
મોદી સરકાર સમસ્યાઓને ઢાંકવા માટે ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "આજે જ્યારે દેશ લોકતાંત્રિક, આર્થિક અને સામાજિક 'સંક્રમણ'ના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર દેશને પ્રગતિ, સમૃદ્ધિના માર્ગ પર લાવવા માટે 'નવી' યોજના બનાવશે. અને નવા 'સંકલ્પ' અને મક્કમ પ્રતિજ્ઞા લઈ રહી છે. તેમણે મોંઘવારી, બેરોજગારી, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, અર્થવ્યવસ્થાની સ્થિતિ, દેશ સમક્ષ સુરક્ષા સંબંધિત પડકારોનો ઉલ્લેખ કરીને તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ સમસ્યાઓને ઢાંકવા માટે ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે.ો