ઠંડીની સીઝનમાં દરેક વ્યક્તિ કોઇ ખાસ અને અલગ અલગ વસ્તુઓનુ સેવન કરતી જોવા મળે છે. ઠંડી સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ પ્રકારના રોગોથી બચવા માટે આવી વસ્તુઓનું સેવન લાભદાયક છે. જો તમે જમવામાં ધ્યાન રાખશો તો આરોગ્ય અને સુંદરતા જળવાઇ રહેશે અને મગજનો પણ વિકાસ થશે. કેટલાય રોગો સામે રક્ષણ મળી શકશે.
ખસખસ
તે મગજને તેજ કરવામાં સહાયક છે. ઠંડી દરમિયાન ખસખસ ખાવાથી પ્રોટીન, કેલ્શિયમ મળે છે. તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાઇ શકો છો અથવા તેનુ દુધ કે હલવો બનાવી શકો છો. શિયાળાના વસાણામાં તેનો ભરપુર ઉપયોગ કરો.
કાજુ
તેમાં કેલરી વધુ હોય છે. ઠંડીમાં શરીરનું તાપમાન નિયંત્રિત રાખવા માટે વધુ કેલરીની જરુર હોય છે. કાજુમાંથી કેલરી મળે છે અને તેનાથી શરીર પણ સ્વસ્થ રહે છે
બદામ
પલાળેલી બદામ ખાલી પેટે ખાવાથી મગજ સતેજ થાય છે. આખો દિવસ મગજ તરવરાટ ભરેલુ અને ઉર્જાવાન રહે છે. તમે ઇચ્છો તો બદામનુ દુધ પણ પી શકો છો અને બદામનો હલવો પણ ખાઇ શકો છો.
અખરોટ
તે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં સહાયક છે. તેમાં ફાઇબર, વિટામીન એ અને પ્રોટીન હોય છે. જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં સહાયતા પ્રદાન કરે છે.
અંજીર
તેમાં આયરન હોય છે. તે લોહી વધારવામાં સહાયક છે.
ચ્યવનપ્રાશ
ચ્યવનપ્રાશ રોજ ખાવાથી શરીરનું પાચનતંત્ર સુધરે છે અને શરીરમાં સ્ફુર્તિ જળવાયેલી રહે છે. તે શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે.
ગજક
તલ અને ગોળમાંથી ગજક બનાવાય છે. ગોળમાં આયરન, ફોસ્ફરસ વધુ માત્રામાં મળી આવે છે. તલમાં કેલ્શિયમ અને ચરબી હોય છે. તેના કારણે ઠંડીના સમયમાં શરીરને વધુ કેલરી મળે છે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહે છે.
ખજુર
તેમા આયરનની સાથે મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. ઠંડીની સીઝનમાં રોજ ચારથી પાંચ ખજુર ખાવી જોઇએ.
દુધ
રાતે સુતી વખતે કેસર, આદુ, ખજુર, અંજીર, હળદળ દુધમાં નાંખીને પીવુ જોઇએ. તેનાથી ઠંડીના કારણે થતી શરદી અને ખાંસીથી બચી શકાય છે.
ગુંદરના લાડુ
આ સીઝનમાં ગુંદરના લાડુ સારા છે. તે સરળતાથી પચી જાય છે. એક લાડુમાં 300થી 350 કેલરી હોય છે. આ લાડુ ઠંડી સામે રક્ષણ આપે છે.