સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા બાદ હવે ભારતીય વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર માટેના હાઈ કમિશનરના કાર્યાલય દ્વારા તિસ્તા સેતલવાડ અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અંગેની ટિપ્પણી જોઈ છે.ટિપ્પણીઓ સંપૂર્ણપણે અયોગ્ય છે અને ભારતની સ્વતંત્ર ન્યાયિક પ્રણાલીમાં દખલગીરીનું ઉદાહરણ સ્થાપિત કરે છે.
The Ministry of External Affairs (MEA) on Wednesday described as ‘unwarranted’, a statement by a UN official condemning the arrests of so-called social activist Teesta Setalvad. #TeestaSetalvadpic.twitter.com/7augxYyfoS
ભારત ન્યાયિક પ્રક્રિયાઓને અનુસાર કાયદાનું ઉલ્લંઘનના વિરૂદ્ધમાં કાર્યવાહી કરે છે
બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સ્વતંત્ર ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપનું એક ઉદાહરણ દર્શાવે છે. બાગચીએ વધુમાં ઉમેર્યુ કે, ભારત ન્યાયિક પ્રક્રિયાઓને અનુસાર કાયદાનું ઉલ્લંઘનના વિરૂદ્ધમાં સખત રીતે કામ કરે છે. આ પ્રક્રારની કાનૂની કાર્યવાહીને સક્રિયતા માટે આવી કાનૂની ક્રિયાઓને પજવણી તરીકે લેબલ કરવું ભ્રામક અને અસ્વીકાર્ય છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ગુજરાત રમખાણોના કેસમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાવતરું ઘડવા બદલ કેસ નોંધ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તિસ્તા સેતલવાડની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે તિસ્તા પર PM મોદીની છબીને બદનામ કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.
Deeply concerned by reports of #WHRD Teesta Setalvad being detained by Anti Terrorism Sqaud of Gujarat police. Teesta is a strong voice against hatred and discrimination. Defending human rights is not a crime. I call for her release and an end to persecution by #Indian state.
— Mary Lawlor UN Special Rapporteur HRDs (@MaryLawlorhrds) June 25, 2022
🇮🇳#India: We are very concerned by the arrest and detention of #WHRD@TeestaSetalvad and two ex police officers and call for their immediate release. They must not be persecuted for their activism and solidarity with the victims of the 2002 #GujaratRiots.
સંયુક્ત રાષ્ટ્રએ તિસ્તાની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી હતી
તિસ્તાની ધરપકડ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા યુએનના વિશેષ દૂત મેરી લોલોરે જણાવ્યું હતું કે, “ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા WHRD તિસ્તા સેતલવાડની અટકાયતના સમાચારથી હું ચિંતિત છું. તિસ્તા નફરત અને ભેદભાવ સામે મજબૂત અવાજ છે. માનવ અધિકારોનું રક્ષણ કરવું એ ગુનો નથી. હું તેની મુક્તિ અને ભારતીય રાજ્ય દ્વારા થતા જુલમનો અંત લાવવા માટે હાકલ કરું છું.