રાજકોટ જિલ્લાના જેતલસરમાં એક તરફી પ્રેમીએ ચાકુના 28 ઘા ઝીંકી યુવતીની હત્યાના કેસમાં મૃતકના પિતાએ કહ્યું કે, આરોપીને જાહેરમાં ફાંસીની સજા આપો
જેતલસરની મૃતક યુવતીના પિતાની માગ
આરોપીની ફાંસીની સજા મળવી જોઈએ
શું આવા હત્યારાને જીવવાનો છે અધિકાર?
જેતપુરના જેતલસર ગામમાં યુવતીની હત્યા મામલે હવે તેના પિતાએ VTV સાથે વાતચીત કરી હતી. યુવતીના પિતાની માગ છે કે, આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અને ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ.
જેતલસરમાં જયેશ સરવૈયા નામના યુવકે છરીના 28 ઘા મારીને યુવતી નામની દિકરીની હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એક રોષ જાગ્યો છે. સાથે સૌ કોઈ યુવતીના હત્યારાને ફાંસીની સજા માટે માગણી કરી રહ્યા છે. તો તેના પિતાએ કહ્યું કે, જે જગ્યાએ મારી દિકરીની હત્યા થઈ તે સ્થળે જ તેને ફાંસી આપવી જોઈએ.
યુવતી રૈયાણીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જેતલસર આવી પહોંચ્યા હતા. અને યુવતી રૈયાણીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પાટીલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને પરિવાર સાથે વાતચીત કરી હતી.
કોણ છે હત્યારો જયેશ સરવૈયા?
સમગ્ર ઘટના અંગ જો વાત કરવામાં આવે તો, 16 વર્ષની યુવતીનો હત્યારો જયેશ સરવૈયાએ યુવતીના માતાનો પિતારાઈ ભાઈ થાય છે. અને તે જેતલસરમાં રહીને કડિયા કામ કરતો હતો. માતાનો પિતરાઈ ભાઈ હોવાથી તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેને યુવતી સાથે એક તરફી પ્રેમ થયો હતો.
એક તરફી પ્રેમમાં જયેશ સરવૈયા વારંવાર યુવતીનો પીછો પણ કરતો હતો. અને પરશાન પણ કરતો હતો. આ અંગે યુવતીના માતા-પિતાએ જયેશના પરિવારને પણ ફરિયાદ કરીહતી. જે બાદ જયેશને તેના પિતાએ માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ બાબતના ગુસ્સામાં જયેશે યુવતીની હત્યા તેના ઘરમાં ઘૂસીને કરી નાખી હતી. આ દરમિયાન સૃષ્ટ્રિના ભાઈને પણ જયેશે છરીના ઘા મારી ઘાયલ કર્યો હતો. સૃષ્ટ્રિની હત્યામાં જયેશનો નાનો ભાઈ પણ હતો. જયેશના નાના ભાઈએ 6 ઘા છરીના માર્યા હતા. પરંતુ પોતાનો જીવ બચાવવા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
સૃષ્ટીની હત્યા પર C R Patil શું કહ્યું?
જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે. જયેશ રાદડિયા સતત પરિવાર સાથે સંપર્કમાં છે. આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. અને તેના સાથીદારોને પણ પકડી પાડીશું. દીકરીના પિતાની એક જ લાગણી છે કે તેમની દીકરીને ન્યાય મળવી જોઈએ. બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ તમામ તંત્ર ધ્યાન આપી રહ્યું છે.
જેતલપુરની ભયાનક ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બે દિવસ પહેલા એક યુવતીની સરાજાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી યુવતી કિશોરભાઈ રૈયાણીની તેના ઘરે જ જયેશ ગીરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મૃતક યુવતીના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ સરવૈયાને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી