હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વીડિયો આવ્યો સામે, લાલચ આપી ધર્મ પરિવર્તન કરાતું હોય તેનો બોલતો પુરાવો
ફેફડાવાલાનો વીડિયો આવ્યો સામે
2 વર્ષ અગાઉ મળેલી મિટીંગનો વીડિયો
અબ્દુલ્લા લાલચ આપતો નજરે પડ્યો
ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનનો વીડિયો વાયરલ થયો છે.હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વીડિયો સામે આવ્યો છે.2 વર્ષ અગાઉ કાંકરિયા ગામે મળેલી મીટિંગનો વીડિયો વાયરલ થયો છે.મીટિંગમાં અબ્દુલ્લા લાલચ આપતો જોવા મળી રહ્યો છે.લોકોને ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવતો વીડિયો સામે આવ્યો છે.લંડનમાં ફંડ એકત્ર કરવા માટે આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન છે.ધર્મ પરિવર્તન કરેલા 37 પરિવારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.7 મિનિટનો વાયરલ વીડિયો સામે આવતા મામલો ચર્ચાયો છે.
આરોપી વીડિયોમાં શું કહી રહ્યો છે?
હું હાજી અબ્દુલ્લા ફેફડાવાલા લંડનથી આવેલો છું. મને તમારા લોકોની ખબર પડી એટલે હું તમને મળવા આવ્યો છું. તમારી માટે સ્પેશિયલ હું લંડનથી તમને મળવા આવ્યો છું. હું લંડનમાં તમારુ પેગામ પહોંચાડિશ. ઇસ્લામમાં તમે દાખલ થયા હવે તમે અમારા ભાઇઓ, કોઇ જ જાતનો ભેદભાવ નહીં. અમારાથી જેવી મદદ તમને થશે એટલી મદદ અમે તમને કરીશું. લંડનવાસી ભાઇઓ આ મારો પેગામ છે. હું આમોદ તાલુકામાં કાંકરિયા ગામમાં આવેલો છું. ગામમાં 37 ફેમિલી ઇમામ લાવેલી છે. આ અજીતભાઇની મહેનત છે, આ યુવાનોની મહેનત છે. ઇમાનની દાવત આપવા માટે એ લોકો મહેનત કરે છે. અજીતભાઇ અને સાથીઓને કેટલાક સવાલો કરીશ. તેમને અમારા લાયક કંઇક કામ હોય . મકાનો, ખાવા પીવાની કે કોઇપણ તકલીફ હોય તેના માટે પૂછવું છે. અમારા માટે, સ્પેશિયલ લંડનવાસીઓથી તમે કોઇ આશા રાખો છો. અમે તમને કંઇ હેલ્પ કરીએ, અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ
પોલીસે શું કરી કાર્યવાહી?
ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનના મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે...અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જિવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલની ધરપકડ કરવામાં આવી છે...આમોદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...ફરિયાદ નોંધાતા આમોદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે...કાંકરીયા ગામાના 37 પરિવારના 100 લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે
ભરૂચમાં ધર્માંતરણના આરોપી કોણ?
શબ્બીર બેકરીવાલા
સમજ બેકરીવાલા
અબ્દુલ અઝીઝ પટેલ
યુસુફ જીવણ પટેલ
ઐયુબ બરકત પટેલ
ઇબ્રાહીમ પટેલ
ફેફડાવાલા અબ્દુલ્લા (હાલ લંડન)
હસન ટીસલી
ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા(મૌલવી)
કઈ રીતે કરાતું હતું ધર્માંતરણ?
2018થી ધર્માંતરણનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે. અજીત વસાવા નામનો વ્યક્તિ સુરત ખાતે ગાડીમાં લઇ જતો હતો. અને સુરત લઇ જઇને તમામના આધાર કાર્ડના નામ ચેન્જ કરવામાં આવતા હતા. ત્યારે મામલો સામે આવ્યા બાદ ફરિયાદીને ધમકી મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઇ ફરિયાદી પ્રવીણ વસાવાએ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું છે.
ગરીબીનો લાભ ઉઠાવી આ ખેલ થાય છે: સાંસદ મનસુખ વસાવા
ગેરકાયદેસર ધર્માંતરણ મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરી બિરદાવી છે...અને કહ્યું કે, ગરીબીનો લાભ ઉઠાવી ધર્માંતરણ કરાવે છે...ધર્માંતરણ અટકાવવા સરકારનું વલણ સ્પષ્ટ છે...અમે પણ ધર્માંતરણ અટકાવવા પ્રયત્નો કરીએ છીએ...અનેક ગામોમાં જાગૃતિ કાર્યક્રમો કરીએ છીએ...ગરીબ પરિવારો સુધી સરકારી લાભો પહોંચાડવા તંત્રને સૂચના આપી છે