જૂનાગઢના લેરિયા ગામે AAPના કાર્યકરો પર હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે હુમલાની ઘટના બાદ હવે એકબાદ એક નિવાદનો સામે આવી રહ્યા છે,
ભાજપ નેતા મહેશ કસવાલાનો દાવો કર્યો
હુમલાની ઘટના બાદ નેતાઓના નિવેદનનો સામે આવ્યા
હુમલો કરનાર યુવક કોંગ્રેસનો કાર્યકર હોવાનો દાવો
જૂનાગઢના લેરિયા ગામે AAPના કાર્યકરો પર હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે હુમલાની ઘટના બાદ હવે એકબાદ એક નિવાદનો સામે આવી રહ્યા છે,
ભાજપ નેતા મહેશ કસવાલાનો દાવો કર્યો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન બાદ હવે ભાજપના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ નેતા મહેશ કસવાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે હુમલો કરનાર યુવક કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો હોવાનો ભાજપ નેતા મહેશ કસવાલાએ દાવો કર્યો છે અને કહ્યું કે હુમલો કરનાર યુવક જસ્મીન જાની કોંગ્રેસનો કાર્યકર અને હાર્દિક પટેલ અને રિબડીયાનો માણસ છે, મહેશ કસવાલાએ જસ્મીનના હાર્દિક અને રિબડીયા સાથેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
હુમલા મામલે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
AAP પર કાર્યકરો પર હુમલા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ AAPના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા નીતિન પટેલે વધુ એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જોયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુ:ખ થાય છે તેવું કહેતા નીતિન પટલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા છે અમે કોઈને વિચારો વ્યક્ત કરતા રોકી શકાય નહીં, આવી ઘટનાઓથી મને પણ દુ:ખ થાય છે તેમ નીતિન પટલે જણાવ્યું હતું
પક્ષો સામે આઈપીસી 307 સહિતની ફરિયાદ
જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવિણ રામ અને હરેશ રાવલિયા સહિત AAP 30 કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે 10 શખ્સો સહીત શખ્સોના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી 307 સહિતની ફરિયાદ નોંધાવી છે.
હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ
ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. જેમાં હુમલો કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
બંને પક્ષો સામે સામ સામી ફરિયાદ
હુમલાની ઘટના બાદ હવે આપના આગેવાનોએ પોલીસ પાસે રક્ષણની માગ કરી છે. મહત્વનું છે કે ગઈ કાલે જે ઘટના બની તેમાં આપ કાર્યકર્તાઓની 5 જેટલી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા જેમાં આપના એક કાર્યકર્તાને ગંભીર ઈજા પણ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા આપના 30 કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે જ્યારે સામે પક્ષે 10 શખ્સો સામે પણ ગુનોં નોંધાયો છે.