મહાબળેશ્વરમાં ગઈ કાલે થયેલા બસ અકસ્માતમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. NDRFની ટીમ અને અન્ય બચાવદળ દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પરંતુ ખીણની ઉંડાઈ વધુ હોવાથી બચાવદળની કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. જીવના જોખમે તેઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દુર્ઘટનાની વિગત એવી છે કે મહાબળેશ્વરમાં એખ પર્યટકોથી ભરેલી બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.
જેમાં 33 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના રાયગઢ અને સતારા જિલ્લાની સીમા પાસે અંબનેલી ઘાટ નજીક બની છે. તો મહારાષ્ટ્ર સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનોને ચાર ચાર લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.