સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે તે તરફ સાહેદ વિસ્તારના ખેડૂતોને પાણી નથી મધુર ત્યારે હલકી ગુણવત્તાની કેનાલો ખેડૂતો માટે અભિશાપ બની છે ત્યારે કેનાલના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે.
બનાસકાંઠાના સરહદી તાલુકાઓ ભાભર થરાદ વાવ સુઇગામ દિયોદર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં અવાર નવાર કેનાલો પડવાનું કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે.
ત્યારે કેનાલોમાં પાણી છોડ્યા બાદ ગાબડા પડે છે અને આ પાણી ખેડૂતોના ખેતરમાં વહી જાય છે જેથી પાકને પણ નુકશાન થાય છે મોંઘા બિયારણો અને ઉછીના પૈસા લાવી અને વાવેતર કરેલા ખેડૂતોના ખેતરોમાં પાણી વહી જાય છે અને જેને લીધે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે પરંતુ આ જવાબદારી કોઈ સ્વીકારતું નથી.