ટીવી જગતના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને દર્શકોને હસાવી રહ્યો છે. આ ફેમિલી શો નાના બાળકોથી લઈને મોટાઓ અને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે. પરંતુ સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી લાંબા સમયથી શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષથી આ શોથી દૂર છે. તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે એ પછી તેણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યારબાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. પણ કોઈપણ ખબર સાચી હોતી નથી. જોકે, હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી એન્ટ્રી કરશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે.
દયાબેન ત્રણ વર્ષથી આ શોથી દૂર છે
દયાભાભીએ સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી
હવે લાગે છે કે તે શોમાં જલ્દી એન્ટ્રી કરશે
તમને જણાવી દઈએ કે, દિશા વાકાણીની વાપસી માત્ર ફેન્સ જ નહીં, પરંતુ શોના મેકર્સ અને કો-સ્ટાર્સ પણ લાંબા સમયથી કરી રહ્યાં છે. શોમાં કામ કરનારા લોકો પણ દિશાની વાપસીને લઈને આતુર છે. જ્યારે દિશે વાકાણી શોમાં હતી, ત્યારે શોમાં એક અલગ જ રોનક હતી. સાથે જ શોને સારી TRP પણ મળતી હતી. હવે એ જોવાનું રહ્યું કે, શોમાં મળી રહેલી હિંટ ક્યારે હકીકતમાં બદલાય છે અને ક્યારે સ્ક્રીન પર ફરી દયાબેન જોવા મળશે.
આ દરમિયાન શોમાં દયાબેનની વાપસીને લઈને એક પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. હકીકતમાં શોમાં અંજલી અને તારક મહેતા વાત કરે છે અને આ દરમિયાન દયાબેનની વાપસીનો ઉલ્લેખ થાય છે. અંજલી કહે છે 2021ની શરૂઆત ધમાકેદાર રહી, તો તારક કહે છે કે બસ 2021 શાંતિથી પસાર થાય. ત્યારે શોના મેકર્સે પણ દયાબેનની વાપસી માટે એક મિશન બનાવ્યો છે.
3 વર્ષ શોથી દૂર રહેનાર દિશા વાકાણીને લઈને મીડિયા રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે, તે બાળકના જન્મ બાદ પોતાના પરિવારને સમય આપવા માંગે છે. તો કેટલાક રિપોર્ટસમાં એવું પણ કહેવાયું છે કે, શોમાં મળનારી ફીને કારણે વિવાદ થયો છે. દયાબેનના ગયા બાદ શોના કેટલાક અન્ય જૂના સ્ટાર્સે પણ શો છોડી દીધો છે. જેમ કે, રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ, અંજલી મહેતા એટલે કે નેહા મહેતાએ પણ શો છોડી દીધો છે. આ બંને કલાકાર લાંબા સમય સુધી શો સાથે જોડાયેલા હતા. પરંતુ હવે તેઓ શોથી બહાર થઈ ચૂક્યા છે. બંને શોમાંથી બહાર થવાનું કારણ પણ મીડિયાને આપી ચૂક્યા છે.
શોમાં પોપટલાલના લગ્નની ધૂમ
હાલ શોમાં ચાલી રહેલી સ્ટોરીની વાત કરીએ તો, અત્યારે શોમાં પોપટલાલના લગ્નની વાત ચાલી રહી છે. પત્રકાર પોપટલાલના લગ્નની તો બધાં જ રાહ જોઈ રહ્યાં હતા. તેના લગ્નને લઈને અનેક અટકળો ચાલતી રહે છે, પણ બિચારા પોપટલાલના લગ્ન થતાં થતાં રહી જાય છે. આ વખતે પોપટલાલના લગ્ન થઈ ગયા છે. જેને કારણે શોમાં થોડો માહોલ બન્યો છે અને બધાં જ લોકો લગ્નમાં ખુશી ઝૂમતા જોવા મળી રહ્યાં છે.