પીડિત બાળકીના પરિવારજનોએ પોલીસ ફરીયાદ કરતાં વકીલ નરેન્દ્ર પારઘી સામે ગાળિયો કસવાની તૈયારી
સુરેન્દ્રનગરમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
બાળકી સાથે વકીલ નરેન્દ્ર પારઘીએ આચર્યુ દુષ્કર્મ
જુબાની દેતા શીખવાડવાના બહાને આચર્યું દુષ્કર્મ
સુરેન્દ્રનગરમાં વધુ એક 10 વર્ષની બાળકીને પીંખી નાખવામાં આવી છે. અને 10 વર્ષની બાળકી પર અમાનૂષી અત્યાચારનો આક્ષેપ એક વકીલ પર લાગ્યો છે. 10 વર્ષની બાળકીને ફોસલાવીને નરાધમ વકીલ નરેન્દ્ર પારઘીએ દુષ્કર્મ આચાર્યુ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પીડિત બાળકીના પરિવારજનોએ પોલીસ ફરીયાદ કરતાં સમગ્ર કેસ બહાર આવ્યો છે.
જુબાની દેતા શીખવાડવાના બહાને આચર્યું દુષ્કર્મ
સુરેન્દ્રનગરમાં થયેલી દુષ્કર્મની આ ઘટના કંલકિત કરતી છે. એક વકીલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર પારઘી પર આરોપ લાગ્યા છે કે, એકલતાનો લાભ ઉઠાવી વકીલે પોતાની હવસનો શિકાર બનાવી 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. વકીલ નરેન્દ્ર પારઘીની આ હરકતથી સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. કોર્ટમાં ઉભા રહીને લોકોને ન્યાય અપાવનારા વકીલ પૈકી નરેન્દ્ર પારઘીએ પોતાના કાળાકામથી કાયદા વિરુદ્ધનું કાર્ય કર્યું છે. 10 વર્ષની બાળકી સાથે જે કર્યું તેને વખોડી તમામ લોકો, અન્ય વકીલો સહિત પીડિતના પરિવારજનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પીડિત બાળકીના પરિવારજનોએ કરી પોલીસ ફરીયાદ
સમગ્ર ઘટનાની જાણ પીડિત બાળકીના પરિવારને થઈ હતી જે બાદ પીડિત પરિવારે પોલીસને સમગ્ર આપવીતી બતાવી ફરિયાદ કરી છે. હાલ તો પોલીસે આરોપી વકીલ નરેન્દ્ર પારઘી સામે તપાસ શરૂ કરી દીધી છે પણ શું તપાસથી શું થશે ? આવા દિકરીઓના દાનવને કડકમાં કડક સજા કરવી જોઈએ. સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે કારણ કે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે. આરોપી વકીલે 10 વર્ષની નાની બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી છે. ત્યારે ગુજરાતના તમામ વકીલોએ એક થઈ આ નરાધમ વકીલ સામે મોરચો માંડવો જોઈએ અને તાત્કાલિકાના ધોરણ વકીલનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ અને કડકમાં કડક સજા થાય તે માટે પીડિત પરિવાર અને 10 વર્ષની બાળકીને પૂરતી મદદ કરવી જોઈએ.જો કે પોલીસે હજુ પણ આરોપીની ધરપકડ ન કરતા કામગીરીઓ પર સવાલ ઉઠ્યા છે. પીડિત પરિવારની ફરિયાદ બાદ પણ હવસના પૂજારી વકીલ નરેન્દ્ર પારઘીની કેમ ધરપકડ કરવામાં આવી નથી. કાયદાનું જ્ઞાન ધરાવતા આરોપીને પણ એકસમાન માની પોલીસ પણ દાખલો બેસાડવો જરૂરી બને છે.