વિશ્વમાં ક્યારેય ન ઘટી હોય તેવી ઘટના સુરતમાં ઘટી છે. જ્યાં માત્ર આઠ જ વર્ષના બાળકે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં એક આઠ વર્ષના બાળકે આત્મહત્યા કરી છે.
મળતી માહિતી પ્રમાણે આ બાળકે ઘરની અંદર જ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. માત્ર આઠ વર્ષના બાળકે કેમ આત્મ હત્યા કરી? એવી તે શું માનસિક બીમારી હતી આ બાળકને કે તેને આવું પગલું ભરવું પડ્યું? આવા અનેક સવાલો અહી ઉભા થાય છે.
મળતી માહિતી મુજબ ધોરણ-2માં અભ્યા કરતો આ બાળક બ્રેઈન ટયુમરની બબિમારીથી પીડાય રહ્યો હતો. જેના પગલે તેણે આ પગલું ભર્યું છે.જોકે સમગ્ર ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંતે તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો સુરતના સચિન GIDC વિસ્તારમાં ઉમંગ રેસિડેન્સી નં. 401માં રહેતાઅને સચિન GIDCના કાપડના ખાતામાં સંજયભાઈ પટેલ કામ કરે છે. સંજયભાઈ પટેલનો આઠ વર્ષના પુત્ર અક્ષયે બુધવારે પોતાના ઘરે પંખા સાથે નાઇલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ અક્ષય અને તેની માતા ઘરે હાજર હતા. તે વખતે તેની માતા ઘરની બહાર દરવાજા પાસે અન્ય બે મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા તે સમયે અક્ષય રમતા રમતા ઘરમાં ગયો હતો. ઘરમાં જઇ અક્ષયે નાઇલોનની દોરી પંખા સાથે બાંધી અને ફાંસો ખાઈ લીધો હતો.