સુરત સહિત ગુજરાતમાં ભાજપના કાર્યકરોએ AAPનો ખેસ ધારણ કર્યો
છેલ્લા 2 મહિનામાં 1 હજારથી વધુ ભાજપ કાર્યકરો AAPમાં જોડાયા
અડાજણમાંથી 400 જેટલા ભાજપના કાર્યકરોએ AAPનો ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવશે નહીં. પરંતુ જ્યારથી સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈને પહોંચ્યા છે. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતા તો બની જ છે. સુરતમાં AAPના કાર્યક્રમમાં ભાજપના સનિષ્ઠ કાર્યકરોએ કેજરીવાલની પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. એક તરફ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી ભાજપના જ કાર્યકરોને પોતાની પાર્ટીમાં જોડીને કેડર ઉભી કરી રહ્યું છે.
ભાજપમાંથી AAPમાં જવાનો આ દોર યથાવત્ છે. આ તરફ અડાજણ સહિતના વિસ્તારમાંથી 400 જેટલા ભાજપના કાર્યકરોએ AAPનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે, છેલ્લા 2 મહિનામાં 1 હજારથી વધુ ભાજપ કાર્યકરોએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના ક્ષેત્રમાંથી પાર્ટીનું પરિવર્તન કર્યું છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના કાર્યકરો એક પછી એક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અગાઉ સુરતના જ કામરેજ વિસ્તારની વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકરોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે ખટોદરામાંથી પણ કેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીની વાટ પકડી છે.