સુરતમાં એક તરફ કર્ફ્યૂના સમયમાં પણ રસ્તાઓ ગાડીઓથી ભર્યા હતા, જેને લઈ AAPના કાર્યકર દ્વારા વીડિયો બનાવી સરકાર પર રોષ ઉતાર્યો હતો
સુરતમાં રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂના ઉડ્યા ધજ્જિયા
રાત્રે 8.30 વાગ્યા બાદ પણ સુરતમાં ટ્રાફિકજામના દુશ્યો
રાત્રે 8.30 વાગ્યા બાદ પણ કિલોમીટર સુધી ટ્રાફિકના દુશ્યો
રાજ્યમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણ કરવા સરકારે 20 શહેરોમાં 8 વાગ્યા પછી કર્ફ્યૂ લગાવી દીધુ છે. પરંતુ સુરતના રસ્તાઓની સ્થિતિ જોઈને કોઈપણ કહેશે કે, આ શું છે. સુરતમાં રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂના કાયદાનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. રાત્રે 8.30 વાગ્યા બાદ પણ સુરતમાં ટ્રાફિકજામના દુશ્યો જોવા મળ્યા હતા. 2-2 કિલોમીટર સુધી ટ્રાફિકના દુશ્યો જોવા મળી રહ્યા હતા.
જ્યાં વરાછા, અર્ચના સ્કૂલ પુણા ગામ વિસ્તારમાં ટ્રાફિક સર્જાયો હતો.તો આ તરફ પરવત પાટિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો દેખાયા હતા. ટેક્સટાઇલ માર્કેટ, હિરાના કારખાનાના કામદારો ટ્રાફિકમાં ફસાયા ટ્રાફિક જામ વચ્ચે પોલીસ પણ મુક પ્રેક્ષક બની રહી હતી. ટ્રાફિકમાંથી નીકળવા BRTS માર્ગમાં વાહનચાલકો ઘુસ્યા હતા. ગઈકાલે પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા.
સુરત મનપા દ્વારા દુકાનો બંધ રાખવાના આદેશ
સુરતમાં કોરોના સંક્રમણ વધતા મનપાએ આદેશ કર્યો છે. જેમાં અઠવા ઝોનમાં મોલ, શોપિંગ સેન્ટર બંધ રાખવાનો આદેશ થયો છે. સાથે હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ કરાયા છે. તો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં દુકાનો બંધ રાખવાનો પણ આદેશ કર્યો છે..
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...