સુરતમાં આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો હમણા ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુમાં બીજા 8 કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જેથી ચૂંટણી પહેલા જ હવે પાર્ટીના વિસર્જનના એંધાણ દેખાઈ રહ્યા છે.
સુરતમાં આમ આદમી પાર્ટી ડૂંબવાને આરે
વધું 8 કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર રહ્યા
અગાઉ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા
સુરતમાં હવે આમ આદમી પાર્ટીના વિર્સજનના એંધાણ દેખાઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલાજ આપના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જેને લઈને પાર્ટીને ભારે નુકશાન થયું હતું ત્ારે વધુમાં બીજા 8 કોર્પોરેટરો આપનો છેડો ફાડે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેના કારણે હાલ સુરતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
બેઠકમાં 8 કોર્પોરેટર ગેરહાજર
ભાજપમાં જે 5 કોર્પોરેટરો જોડાયા છે. તેમને ડિસક્વોલિફાય કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બીજા 8 કોર્પોરેટપો પણ ગેરહાજર હતા. જેથી તેમની ગેરહાજરીને લઈને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
ગેરહાજરીને લઈ હાસ્યસ્પદ કારણો આપ્યા
ગેરહાજર રહેવા પાછળના જે કારણો કોર્પોરેટરોએ બતાવ્યા છે. તે કારણો પઁણ હાસ્યસ્પદ હોવાનું સામે આવ્યું છે. જેમા એક કોર્પોરેટરે તો એવું કીધું કે તે આધાર કાર્ડના કામમાં વ્યસ્ત છે. તો બીજા કોર્પોરેટરે એવું કહ્યું કે તેનું વાહન પંચર થઈ ગયું છે. જેથી તે નહી આવી શકે. સાથેજ 6 કોર્પોરેટરોએ એવું કહ્યું તેઓ સામાજિક પ્રસંગમાં ગયા છે.
ચૂંટણી પહેલાજ પાર્ટી વિસર્જનની આરે
ઉલ્લેખનીય છે કે આપની બેઠકમાં બીજા 8 કોર્પોરેટરો મોટી સંખ્યામાં ગેરહાજર રહેતા હવે મોટું સસ્પેન્સ સર્જાયું છે. પહેલાથી 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. જેથી આપને મોટો ફટકો પડ્યો છે. એક તરફ ચૂંટણી પણ આવી રહી છે. જેથી હવે આમ આદમી પાર્ટીના હવે વિસર્જનના એંધાણ દેખાઈ રહ્યા છે. જેના કારણે પાર્ટીનો માહોલ પણ ગરમાયેલો છે. =