ઉનાળાની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગરમીના લીધે પરસેવો પણ થતો રહે છે. કેટલીક વખત એવું બને છે કે એ પરસેવાની દુર્ગંધ આપણાથી સહન થતી નથી. તે સમયે આપણે આપણી જાતને અસહજ મહેસૂસ કરીએ છીએ. તો આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા પરસેવાથી છુટકારે મેળવી શકો છો.
જો તમારા પગના તળિયામાં વધારે પરસેવો આવે છે, તો ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડી પાઉડર નાખી દો. હવે આ ટબમાં બે થી પાંચ મિનિટ તમારા પગને ડુબાડી બેસો.
શરીરના જે ભાગથી તમને વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, ત્યારે ઘરથી બહાર નિકળતા પહેલા થોડા મિનિટ તે જગ્યા પર બરફ લગાવીને રાખવું. તેનાથી વધારે પરસેવો નહીં આવશે.
જે કપડા તમે આખો દિવસ પહેરીને બહાર ગયા છો તે કપડા ધોયા પછી જ કબાટમાં મૂકવા.
વધારે સમય પહેરેલા અને વગર ધોયેલા કપડા અલમારીમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટીરિયા સક્રિય થઈ જાય છે અને આ દુર્ગંધ બીજા સાફ કપડામાં પણ પહોંચી જાય છે અને તમે સમજી નહીં શકો છો કે સાફ ધુલેલા કપડાથી અજીબ ગંધ શા માટે આવી રહી છે.
શરીરની સાફ-સફાઈનો ખાસ ધ્યાન રાખવું, જરૂર પડે તો દિવસમાં બે વાર નહાવી લો.
તળેલા અને મસાલાયુક્ત વસ્તુઓ આ મૌસમમાં ખાવાથી બચવું.
આ મૌસમમાં સિથેટિક કપડા ન પહેરવું પણ સૂતરના કપડા પહેરવું. આવા કપડા પહેરવા જે શરીરથી ચોંટાય નહી, કારણ કે ચુસ્ટ કે ફિટ કપડામાં વધારે પરસેવું આવે છે અને તેનાથી હવા પાસ નહી હોઈ શકે જેનાથી દુર્ગંધ આવે છે.
નહાવા માટે લીમડા કે એંટી બેક્ટીરિયલ સાબુનો ઉપયોગ કરવું.