ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતા સંક્રમણ છતાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઈને SOU ખાતે પ્રવાસીઓનો ધસારો.એક સપ્તાહમાં દોઢા લાખ પ્રવાસીઓ ઉમટયા.
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહેલું બંધ થશે
પ્રવાસીઓનો ભારે ધસારો, ઘોડાપૂર ઉમટ્યું
તમામ હોટેલ્સ, ટેન્ટ સિટી,ટીકીટો હાઉસ ફૂલ
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતા સંક્રમણ છતાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઈને SOU ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નાતાલથી લઈને 31મી ડિસેમ્બર સુધી આશરે 1.5 લાખથી વધુ પ્રવાસીઓએ SOUની મુલાકાત લઈ ચુક્યા છે અને હજુ પણ મુલાકાતીઓનો પ્રવાહ યથાવત છે. આજના દિવસે રાત્રિ સુધીમાં પ્રવાસીઓની સંખ્યા 50 હજારને પાર થવાની શક્યતા જોવાઇ રહી છે. પ્રવાસીઓના ધસારાને લઈને SOU ખાતેના તમામ ટેન્ટ સિટી, હોટેલો તથા સ્ટેચ્યુની ટિકિટો હાઉસફુલ થઈ ગઈ છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ બારીઓ શરૂ કરવામાં આવી છે. તથા 50 જેટલી ખાનગી બસો પણ શરૂ કરવામાં આવી છે. મુસાફરોના પ્રવાહને જોતા ST વિભાગ દ્વારા પણ 30 જેટલી એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરાઇ છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરના રાત્રિ નજારા માટે SOU ખાતે ખાસ વ્યવસ્થા કરાઇ છે
આરતીના સમયમાં ફેરફાર છે
ગુજરાતમાં નદી ઉત્સવ,અને સ્વચ્છ્તા અભિયાન સાથે જ વારાણસીમાં જે પ્રકારે સંધ્યા આરતી થાય છે બરાબર તે જ રીતે કેવડિયામાં નર્મદાની મહાઆરતી થાય છે. આ સમયમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' માં આવેલા લેઝર શો સાથે સંધ્યા આરતીનો લાભ કઈ શકે તે હેતુસર આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નર્મદાની મહા આરતી સાંજે 7:00 વાગ્યાને બદલે 7:30 વાગ્યે યોજાશે. તો લેઝર શોનો સમય સાંજે 7 વાગ્યાને બદલે 6. 45 વાગ્યે યોજાશે. પ્રવાસીઓ બંને કાર્યક્રમો માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. છે...લાઇટિંગ ગ્લો ગાર્ડન સહિતના આકર્ષણો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના નર્મદા કિનારે આવેલા કેવડિયાને વૈશ્વિક ફલક પર પ્રવાસન ધામ તરીકે વિકસાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની દીર્ઘ દ્રષ્ટિ મુજબ ધાર્મિક સ્થળ તરીકે પણ વિકસાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે મહિનાઓ અગાઉ PM નરેન્દ્ર મોદીએ ગોરા નજીક ₹14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી. નમોના નમામી દેવી નર્મદે પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લંબાઇ 131 મીટર અને ઉંડાઈ 46 મીટરની છે.