મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર આજે સુપ્રીમમાં સુનાવણી ચાલી હતી જેમાં શિવસેનાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથને રાહત મળી છે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સુપ્રીમમાં થઈ સુનાવણી
શિવસેનાને ઝટકો, શિંદે છાવણીને રાહત
ડેપ્યુટી સ્પીકરની નોટીસને 14 દિવસ કરી સ્થગિત
ડેપ્યુટી સ્પીકરે 16 ધારાસભ્યોને આપી હતી ગેરલાયકાતની નોટીસ
હવે સુપ્રીમમાં 11 જુલાઈએ થશે સુનાવણી
શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટીસ આપવાનો ડેપ્યુટી સ્પીકર નરહરી જિરવાલનો દાવ ઊંઘો પડ્યો છે. શિંદેની આગેવાનીવાળા બળવાખોર જૂથની ગેરલાયકાયતા સામેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉલટાનું ડેપ્યુટી સ્પીકરને નોટીસ પકડાવી દીધી છે અને તેમના જવાબની માગ કરી છે.
Supreme Court issues notice to Deputy Speaker, Secretary of Maharashtra State Legislative Assembly, Centre and others on pleas filed by rebel MLAs against the disqualification notice issued by the Deputy Speaker Narhari Zirwal against Eknath Shinde and 15 other rebel legislators. pic.twitter.com/oYrAKW9CZ4
સુપ્રીમે કોને કોને નોટીસ ફટકારી
બળવાખોર જૂથે ડેપ્યુટી સ્પીકરની નોટીસને સુપ્રીમમાં પડકારી હતી જેની પર ચાલેલી સુનાવણી વખતે ખંડપીઠે ડેપ્યુટી સ્પીકર, વિધાનસભા સચિવ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચોધરી, સુનિલ પ્રભુ વગેરેને નોટીસ પાઠવી હતી.
SC says 14 days is the time for Speaker to put up notice before the House. Here MLAs have served notice calling upon him to put resolution under Art 179
Senior Adv Rajeev Dhavan appearing for Dy Speaker says Speaker has rejected the notice saying its authenticity is not verified
સરકારે 39 ધારાસભ્યોની સ્વતંત્રતા બચાવવા માટે પૂરતા પગલા લેવા જોઈએ: SC
શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને તમામ 39 ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની રક્ષા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ. તેમની સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.
On request of providing security to 39 MLAs alleging threat, SC records statement of standing counsel of Maharashtra govt that adequate steps have already been taken and the state government will further ensure that no harm is caused to the life, liberty, or property of the MLAs.
બળવાખોર ધારાસભ્યોને મોટી કાનૂની રાહત
બળવાખોર ધારાસભ્યોએ આજે ગેરલાયકાતની નોટિસનો સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવાનો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ડેપ્યુટી સ્પીકરની આ નોટિસ પર 11 જુલાઈ સુધી રોક લગાવવામાં આવી છે. એટલે કે ત્યાં સુધી આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકાય નહીં.
Maha crisis: SC asks why rebel Shiv Sena MLAs did not move Bombay HC against disqualification notice issued by deputy speaker
સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની પૂછપરછ કરી
સિંઘવીની દલીલો બાદ સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, જે સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તે સભ્યને ગેરલાયક ઠેરવવા માટેની કાર્યવાહી શરૂ કરી શકે છે કે કેમ? સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે તેમની સામેના પ્રસ્તાવમાં ડેપ્યુટી સ્પીકર (નરહરિ ઝિરવાલ) પોતે જજ કેવી રીતે બન્યા? કોર્ટે પૂછ્યું હતું કે શિંદે જૂથે ટપાલ દ્વારા ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપી હતી, જેમાં ધારાસભ્યોની સહીઓ હતી. આ અંગે ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે હા નોટિસ આવી ગઈ છે. પરંતુ તેને આઉટ કરી દેવામાં આવ્યો હતો. ડેપ્યુટી સ્પીકરના વકીલ રાજીન ધવને જણાવ્યું હતું કે, ઇ-મેઇલની ચકાસણી કરવામાં આવી નથી, તેથી તેને નકારી કાઢવામાં આવી છે.
તેના પર કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે સોગંદનામું દાખલ કરવાનું રહેશે. ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત હતી કે કેમ તે જણાવવું જોઈએ. અને આવ્યા તો પછી તેને શા માટે રિજેક્ટ કરવામાં આવ્યો?