સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં લોકો વેક્સિનના નામથી જ દૂર ભાગી રહ્યા છે, તેમને ડર છે કે, કોરોનાની વેક્સિન લીધા પછી તેમને કોઈ બીમારી લાગી જશે
અંધશ્રદ્ધાનું અંધારું નહીં, વેક્સિન જ બચાવશે પ્રાણ
વેક્સિનને લઇ લોકોમાં ડર!
કોરોના સામે વેક્સિનેશન જરૂર છે
કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાંથી ડર જતો નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં લોકો વેક્સિનના નામથી જ દૂર ભાગી રહ્યા છે. તેમને ડર છે કે, કોરોનાની વેક્સિન લીધા પછી તેમને કોઈ બીમારી લાગી જશે. જો કે, આ માત્ર એક અફવા છે. કારણ કે ગુજરાતમાં લાખો લોકોએ વેક્સિન લઈ પણ લીધી છે. અને તેઓ સારા પણ છે. પરંતુ કેટલાક ગામડાઓમાં ડર અને અંધશ્રદ્ધા વેક્સિનેશન સામે હાવી બની ગઈ છે. જ્યારે વેક્સિન માટે હેલ્થ કર્મચારીઓ લોકોને સમજાવવા જાય છે. ત્યારે લોકો કહે છે કે, અમને તો ભગવાન બચાવશે. કોઈ કહે છે કે, અમે સંપૂર્ણ સાજા છીએ. અમને કંઈ થવાનું નથી. વેક્સિન લેવાથી બીજી બીમારીઓ થશે. અને મરી પણ જશે.
ઉપલેટના ગાઢા અને હાડફોડી ગામમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. આ બંને ગામમાં આરોગ્ય કર્મચારી વેક્સિન માટે લોકોને આજીજી કરતા અને સમજાવતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યાં પણ ગયા ત્યાં લોકોએ વેક્સિનનું નામ સાંભળતા ના પાડી દીધી હતી. જુઓ આ સમગ્ર અહેવાલ....