ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળ બાદ હવે મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરી દેવામાં આવી .
નવા મંત્રીઓને ફાળવાયા બંગલા
મુખ્યમંત્રી લકી ગણાતા 26 નંબરના બંગલામાં
રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવાયો બંગલા નંબર-6 .
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાગે સૌથી લકી ગણાતા બંગલા નંબર 26 આવ્યો છે. મોટા ભાગે જોવાયું છે કે, જે-જે પૂર્વ મુખ્યમંત્રી બંગલા નંબર 26મા આવ્યા છે.તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોચ્યા છે. જેઓ અંગે કલ્પના પણ ના કરી હોય તેવા મંત્રી પણ આ બંગલામાં રહેવા આવતા મુખ્યમંત્રી પદ પ્રાપ્ત કરી શક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી રહેતા સુધી બંગલા નંબર 26 માં રહ્યા.ત્યાર બાદ આ બંગલો એ જ મુખ્યમંત્રી બંગલો તેવો શિરસ્તો રહ્યો છે
જાણો કોને અપાયો કયો બંગલો
મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓને ગાંધીનગરમાં બંગલા ફાળવી દેવાયા છે .જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. તો જીતુ વાઘાણીને 4 નંબરનો બંગલો, ઋષિકેશ પટેલને 21 નંબરનો બંગલો, પૂર્ણેશ મોદીને 11 નંબરનો બંગલો, રાઘવજી પટેલને 37 નંબરનો બંગલો, કનુ દેસાઈને 22 નંબરનો બંગલો કિરીટસિંહ રાણાને 10 નંબરનો બંગલો, નરેશ પટેલને 38 અને પ્રદીપ પરમારને 38 નંબરનો બંગલો ફાળવામાં આવ્યો છે.
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં
રવિવારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સોમવારે મુખ્યમંત્રી એક દિવસીય પ્રવાસે દિલ્હી જશે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોને મળશે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર વડાપ્રધાન મોદીને અભિવંદન કરવા રૂબરૂ જનારા મુખ્યમંત્રી પટેલ સોમવારે રાત્રે જ પરત આવશે.વડાપ્રધાન સાથેની સૌહાર્દપૂર્ણ મુલાકાતમાં,આગામી સમયમાં ગુજરાતનો રોડ-મેપ, કોરોના સંક્રમણની ત્રીજી સંભવત; લહેર સામે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા, નવરાત્રીના તહેવારો ઉપરાંત,સરદાર પટેલ જન્મજયંતિ 31 ઓક્ટોબરે કેવડિયાના આયોજન-રૂપરેખા પર વિશદ ચર્ચા થવાની સંભાવનાઓ છે.