સાબરકાંઠાના વડાલીમાં એક પુત્રએ પોતાના જ પિતાને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.
સાબરકાંઠાના વડાલીમાં પુત્રએ કરી પિતાની હત્યા
ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી પુત્રે કરી પિતાની હત્યા
હત્યા કર્યા બાદ ફરાર થયેલા પુત્રની પોલીસે કરી અટકાયત
આ અંગે પ્રાપ્ત મહિતી અનુસાર સાબરકાંઠાના વડાલીમાં ગત રોજ એક અસ્થિર મગજના પુત્રે પોતાના જ પિતાને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેચા ચકચાર મચી જવા પામી હતી. જો કે, આ ઘટના બાદ અસ્થિર મગજનો હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો.
હત્યારો દિકરો માનસિક બીમાર હોવાનો દાવો
વડાલીમાં બપોર બાદ અસ્થિર મગજના પુત્રે 70 વર્ષીય પિતાની કુહાડીથી ગળામાં ઘા મારી મોત નિપજાવતા ચકચાર મચી હતી.અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.જો કે, હત્યારો પુત્ર મોડી સાંજે પરત ઘેર આવી જતાં પોલીસે પકડી લીધો હતો.
સાબરકાંઠાના વડાલીમાં દિકરાએ કરી પિતાની હત્યા
વડાલીના ગાયત્રીનગરમાં રહેતા એક 70 વર્ષીય નાનજીભાઈ પટેલ પર રવિવાર બપોરે તેમના પુત્ર પ્રભુદાસભાઈએ તેમના ઉપર અચાનક કુહાડી લઈ હુમલો કરતાં નાનજીભાઈના ગરદન હુમલો કરતાં તેઓનું મોત નીપજ્યું હતું. જો કે, આ ઘટના બાદ હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી કુહાડી લઈને ઘરમાંથી ફરાર થઇ ગયો હતો.
હત્યા કર્યા બાદ ફરાર દિકરાની પોલીસે અટકાયત
ઉલ્લેખનીય છે કે, નાનજીભાઈના ઘરમાં લાંબા સમયથી કંકાસ ચાલી રહ્યો હતો. આ પહેલા પણ હત્યારા પુત્રે તેના પિતાને ત્રણ ચાર દિવસ અગાઉ લાકડીઓ પણ મારી હતી અને આજે રવિવારે પણ કંકાસ ચાલતો હતો એ દરમિયાન પુત્રએ કુહાડી લઈને ઝીંકી દીધી હતી.ધૃણાસ્પદ બનાવને પગલે સોસાયટીના રહીશો તેમજ સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં દોડી આવેલ લોકો સાંત્વના આપી ફિટકાર વરસાવી રહ્યા હતાં. દરમ્યાન હત્યારો પુત્ર સાંજે કઈ જ બન્યું ન હોય તેમ ઘેર પરત આવતા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. છે.