વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી પણ સંભાવના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એક-બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યગુરુ આપમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે ફરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ થતા તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગર પ્રભારીમાંથી મુક્ત થવા મોકલાવ્યુ છે રાજીનામુ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAPના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર કોંગ્રેસમાં છેલ્લા ઘણાં સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું આપમાં આવતા હોય તો સ્વાગત છે-ગોપાલ ઇટાલિયા
બીજી તરફ આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું.