રાજકોટમાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર ફોટા પર અજાણ્યા શખ્સોએ સ્યાહી ફેકી છે. સંવિધાન બચાવો દેશ બચાવોના પોસ્ટર પર લોકોએ શાહી ફેંકી છે.
શહેરના કાલાવાડ રોડ કેકેવી સર્કલ પાસે લગાવવામાં આવેલા પોસ્ટરો પર અજાણ્યા શખ્સોએ સ્યાહી ફેકી છે. પોસ્ટર પર સ્યાહી લાગતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હાર્દિક મેવાણી કનૈયા કુમારના ફોટા પર ચોકડી
ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીના દિવસે સંવિધાન બચાવો રેલી કરવાની જાહેરાત કરી હતી. આ રેલી બાદ યોજાનારી સભામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણી સ્વામી ચક્રપાણી ઉપસ્થિતિ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જો કે આ જાહેરાત બાદ દેશ બચાવો અને સંવિધાન બચાવોના પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાથે હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણી કનૈયા કુમારના અને સ્વામી ચક્રપાણીના ફોટો રાખવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા આ પોસ્ટરમાં છેડછાડ કરી હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણી કનૈયા કુમારના ફોટો પર ચોકડી મારવામાં આવી હતી.
કોંગ્રેસના પૂર્વ MLA 13 ફેબ્રુઆરીએ યોજવાના છે રેલી
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરીવાર સક્રિય થતાં રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. રાજકોટ ખાતે તેઓ આગામી 13 ફેબ્રુઆરીના રોજ રેલી સ્વરૂપે શક્તિપ્રદર્શન કરવાના છે.
ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું આ પ્રદર્શન CBI EC RBI સહિતની સંસ્થાઓને ભાજપે ખત્મ કર્યા હોવાના આક્ષેપ સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં રેલી યોજાશે. સંવિધાન બચાવો દેશ બચાવોની રેલીનુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આયોજન કરાશે. આ રેલીમાં જીગ્નેશ મેવાણી હાર્દિક પટેલ કન્હૈયા કુમાર સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ રેલી બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તમામ અગ્રણીઓને સભા પણ સંબોધશે.