રાજકોટની પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી લીધાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.
રાજકોટમાં પદ્દકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને કરી આત્મહત્યા
ઘૂંટણનું ઓપરેશન સરખુ ન થતા આત્મહત્યા
સુસાઇડ નોટમાં તબીબની બેદરકારીનો ઉલ્લેખ
ઘૂંટણના જોઇન્ટનુ ઓપરેશન સરખુ ન થતા મહીલાએ કરી આત્મહત્યા
રાજકોટની પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને ઘૂંટણના જોઈન્ટનું ઓપરેશન સરખું ન થતાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં કાફલા સાથે તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહત્વનું છે કે, હેમલતાબેને આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો કરાયો ઉલ્લેખ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા હેમલતાબેન કનેરીયા કે જેઓ પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રન છે. તેઓએ એરપોર્ટ રોડ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો હતો. હેમલતાબેને આત્મહત્યા કરતાં પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 13 મહિના પહેલા તેઓએ ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી પાસે ઘૂંટણના જોઇન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતાં તેઓને ગોઠણનો દુઃખાવો યથાવત રહેવા પામ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠી કબજે લઇ તપાસ હાથ ધરી
સ્યુસાઈડ નોટમાં તેઓએ ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઓપરેશન આવડતું ન હોઈ તો શામાટે કર્યું બાકી મારે કોઈ દુઃખ નથી તેવો ઉલ્લેખ કરાયો છે. તેઓએ જણાવ્યુ હતું કે, ઓપરેશન કર્યાના 13 મહિના પછી પણ ઘૂંટણ દુઃખતા ઓછો થતો નથી .મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વખત ડોકટરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઘણી વખત ડોક્ટરોની બેદકારીને કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે હાલ પોલીસ આમ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે