રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં ચાલતી ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. આ દુકાનમાં સનફલાવર તેલમાં પામ ઓઈલને ભેળવવામાં આવતુ હતું તથા ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી.આ દુકાનમાં અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું.
રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડાં
આરોગ્ય વિભાગને આ અંગે માહિતી મળતા તેમને દુકાન પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી જેમાં આરોગ્ય વિભાગને સનફલાવર તેલના ડબ્બામાં પામ તેલ ભેળવવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ તથા અમૂલ ઘીના ડબ્બામાં બેચ નંબર મેચ થતા ના હોવાની માહિતી સામે આવી હતી.
તેલ,ઘીમાં કરાતી હતી ભેળસેળ
આરોગ્ય વિભાગે દુકાનમાંથી તેલ,ઘીના ડબ્બાના સેમ્પલ લઈને મોટી માત્રામાં તેલ તથા ઘીના ડબ્બાનો જથ્થો સિઝ કરી લીધો હતો.તથા આરોગ્ય વિભાગે આ અંગે સોનિયા ટ્રેડિંગના માલિક પિયુષભાઈ સુમનાણીની પૂછપરછ પણ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેલ,ઘી જેવી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે.ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના કારણે સીધો જ આ ચીજવસ્તુનો ઉપયોગ કરનારના આરોગ્ય પર તેની ગંભીર અસર જોવા મળે છે.
જૂના માર્કેટિંગ યાર્ડની દુકાનમાં દરોડા
રાજકોટમાં સોનિય ટ્રેડિંગમાં નકલી ઘી અને તેલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં નકલી ઘી અને તેલના ડબ્બાઓ મળી આવ્યા હતા જેને લઈ ખૂદ આરોગ્ય વિભાગ પણ ચૌકી ગયું હતું.
સનફ્લાવર્સ તેલમાંં થતી હતી ભેળસેળ
હાલ ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે રાજકોટમાં આવેલી સોનિય ટ્રેડિંગમાં ઘી અને તેલમાં ભળસેળ કરવામાં આવતું તેમજ સનફ્લાવર તેલના ડબ્બામાં પામ ઓઈલ ભેળવી દેવામાં આવતું હતું જ્યારે અમૂલ ઘીના ડબ્બામાં પણ અન્ય ઘીનું મિશ્રણ કરવામાં આવતું હોવાનું જણાઈ આવતા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.
લોકોના આરોગ્ય સાથે કેમ ચેડા કરી રહ્યા છો?
છેલ્લા ચાર થી પાંચ મહિનાથી ખાદ્યતેલની ચીમવસ્તુઓમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ચાલતું હતું જે બાદ સોનિયા ટ્રેડિંગના માલિક પિયુષભાઈ સુમનાણીનો ભાંડો ફૂટતા સમગ્ર હકિકત બહાર આવી ગઈ છે આરોગ્ય વિભાગે તેલ અને ઘીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહગી હાથ ધરી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આવા અનેક લોકો હશે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હશે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની પરવાનગી કોણે આપી, લોકો પૈસા આપીને વસ્તુઓની ખરીદી કરે છે તો કેમ કરવામાં આવે છે ભેળસેળ, અત્યાર સુધીમાં કેટલુ ભેળસેળવાળુ ઘી અને તેલ લોકોને વેચ્યું હશે? શું આવા ભેળસેળીયા સામે કડક પગલાં ન લેવાવવા જોઈએ, આવા લોકોનો પરવાનો રદ્દ ન થવો જોઈએ ?