ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 અને 12ની પરીક્ષા લેવાઈ હતી.ત્યારે રાજકોટની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરે આપધાત કરી લીધો છે.
રાજકોટમાં ધોરણ 10 ની વિદ્યાર્થિનીનો આપઘાત
પરિણામ આવે તે પૂર્વે જ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
પરીક્ષામાં નાપાસ થવાનો ડર વિદ્યાર્થિનીને સતત રહેતો હતો
રાજકોટમાં ધોરણ 10 ની વિદ્યાર્થિનીનો આપઘાત
રાજ્યમાં તાજેતરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી. જે બાદ હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે.ત્યારે પરીક્ષામાં નાપાસ થવાના ડરે રાજકોટના માંડા ડુંગર પાસે રહેતી વિદ્યાર્થીનીએ આપાધાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં નાપાસ થવાના ડરે આપઘાત કરવાનો એક મહિનામાં આ ત્રીજો બનાવ છે.
રાજકોટમાં ધોરણ 10 ની વિદ્યાર્થિનીનો આપઘાત
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ડુંગર પાસે ઓમ તિરુમાલા સોસાયટીમાં રહેતી ધો.10ની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાનો સતત ડર સતાવતાં પોતાના ઘરે પરિણામ આવે તો પૂર્વે જ પોતાના ઘરે આપઘાત કર્યો હતો.
ચોટીલાના ખેરાણા ગામની ધો.12ની વિદ્યાર્થિની નાપાસ થવાના ડરથી કર્યો આપઘાત
મહત્વનું છે કે, આ પહેલા રાજ્યમાં સુરેન્દ્રનગરના ચોટીલા ખેરાણા ગામનો તાજેતરમાં ધો.12ના વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ઝેરી દવા પીધી હતી.
આ પહેલા પણ રાજકોટની એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
રાજકોટ શહેરમાં આ પહેલા પણ ધોરણ10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જેમાં પણ પોલીસનું પ્રાથમિક તારણ બોર્ડની પરીક્ષામાં પેપર નબળું જતાં વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું તે સામે આવ્યું હતું.
બોર્ડની પરીક્ષા આખરી પરીક્ષા નથી
મહત્વનું છે કે, રાજ્યમાંથી ચારે તરફથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યાં છે.પરીક્ષાના પ્રેશરને સહન ન કરી શકતા નબળા મનના વિદ્યાર્થીઓ મોતને વહાલું કરી રહ્યાં છે.માસૂમ વિદ્યાર્થીઓ જેમણે જિંદગી જોઈ પણ નથી તેઓ અંતિમ પગલાં ભરી રહ્યા છે.જે ખુબ આઘાતજનક છે.ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ ધોરણ 10 અને 12ના ત્રણ વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે.