રાજસ્થાનના જોધપુર બાડમેર હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં કુલ 12 લોકોના સળગી જવાને કારણે કરૂણ મોત થયા છે.
બાડમેર-જોધપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 12 લોકોના સળગી જવાને કારણે મોત
ટેન્કર અને બસ વચ્ચે સર્જાયચો ગમખ્વાર અકસ્માત
રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બસ ટેંકર અને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા જેના કારણે ઘટના સ્થળેજ 12 લોકોના આગની ઝપેટમાં આવી ગયા જેથી તેમના મોત થયા છે. આ અકસ્માતને લઈને હાઈવે પર પણ મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.
ટેન્કરે ટક્કર મારતા આગ લાગી
આ અકસ્માતમાં એવી માહિતી સામે આવી છે કે ટેન્કરે ટક્કર મારી જેના કારણે આગ લાગી હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. જેમા 10 લોકોને સફળતાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળે પહોચ્યા હતો જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
10 લોકોને સલામત રીતે બહાર કઢાયા
બસમાં સવાર એક યાત્રીના કહેવા પ્રમાણે સવારે 9.55ના સમયે બસ બાલોતરાથી રવાના થઈ હતી. તે સમયે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી દીધી જેના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. જેમા ગણતરીની મિનિટોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે તેજ સમયે 10 લોકોને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ અને પ્રશાસન તુરંત પહોચ્યું ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાજ પોલીસ અને પ્રશાસન તુરંત સ્થળ પર પહોચ્યા હતા. સાથેજ સ્થળ પર રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત જે પણ લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. તેમના મૃતદેહોને બાહર કાઢવામાં આવી રહ્યા છે.