લખીમપુર ખીરી કાંડના વિરોધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા દેશના ઘણા રાજ્યોમાં આજે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું છે. જેની અસર આજે સવારથી પશ્ચિમ યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ટ્રેનો વધારે રોકી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને હટવાની માગ
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને તેમના પદ પરથી હટાવવા માટે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. કારણકે લખીમપુર ખીરી મામલે અજય મિશ્રાનો પુત્ર આશીષ મિશ્રા મુખ્ય આરોપી છે. જોકે આ આંદોલન અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. સાથેજ વિરોધ કર્તાઓની એવી માગ છે કે નવા કૃષિ કાયદાઓને પર રદ કરવામાં આવે.
ये अलग-अलग ज़िलों में अलग-अलग जगह होगा। पूरे देश में वहां के लोगों को पता रहता है कि हमें कहां ट्रेन रोकनी है। भारत सरकार ने अभी हमसे कोई बात नहीं की है: किसान संगठनों के रेल रोको आंदोलन पर राकेश टिकैत, भारतीय किसान यूनियन pic.twitter.com/f6DJTtOpnS
સવારે 10 વાગ્યાથી આ રેલરોકો અભિયાન શરૂ થયું છે. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. જોકે પંજાબમાં એક કલાક પહેલાજ ટ્રેનો રોકી દેવામાં આવી. પરિસ્થિતી ન બગડે તેને લઈને હરિયાણા તેમજ પંજાબના ઘણા વિસ્તારોમાં પોલીસે પહેલાથી તૈયારીઓ રાખી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાઢ્યો હતો.
#WATCH उत्तर प्रदेश: किसान संगठनों के रेल रोको आंदोलन के आह्वान पर मोदी नगर में प्रदर्शनकारियों ने ट्रेन रोकी। pic.twitter.com/KkfziOTvdw
ખેડૂતોના રેલ રોકો આંદોલનને લઈને ખાસ કરીને મુસાફરોને વધારે તકલીફ પડી રહી છે. લોકો મોટી સંખ્યામાં રોડ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ વાપરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્હી-અંબાલા ટ્રેન તો રોકી સાથેજ શાહપુર ગામ પાસે પણ ખેડૂતો મોટી સંખ્યામાં બેસી ગયા હતા.
#WATCH उत्तर प्रदेश: किसान संगठनों के रेल रोको आंदोलन के आह्वान पर मोदी नगर में प्रदर्शनकारियों ने ट्रेन रोकी। pic.twitter.com/KkfziOTvdw
ઉલ્લેખનીય છે કે ખેડૂતોનું આ રેલ રોકો આંદોલન પંજાબ અને હરિયાણા સિવાય પણ જમ્મુ કાશ્મીર , ઉત્તરપ્રદેશ , છત્તીસગઠ સહિત ઘણા રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામા ટ્રેનો રોકાઈ જતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે લખીમપુરમાં થયેલી હિંસાને લઈને આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.