ગાંધી આશ્રમના નવા પ્રોજેક્ટ સામે આશ્રમવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. ગાંધી આશ્રમને 3 એકરથી 30 એકરમાં કરવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવા પ્લાન મુજબ અંતેવાસીઓએ સ્થળાંતર કરવું પડશે. આશ્રમની પાસે 200 જેટલા અંતેવાસીઓ વસવાટ કરી રહ્યાં છે. ગાંધીજી સાથે કામ કરનારાના પરિવારજનો પણ આશ્રમમાં રહે છે, ત્યારે આશ્રમવાસીઓએ પ્રોજેક્ટનો સર્વે કરનારને ભગાડ્યા અને સર્વે ન કરવા દીધો. જીઓ ગ્રાફિક્સ કંપની દ્વારા આશ્રમ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો. નવા પ્રોજેક્ટ સામે 200 જેટલા આશ્રમવાસીઓ વિરોધ કરી રહ્યાં છે.