BSF દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કાશ્મીરમાં 135 આતંકીઓ ઘુસણખોરી કરવાની તૈયારી છે. જેથી આ મામલે સુરક્ષા એજન્સીઓ પણ ચાંપતી નજર રાખી રહી છે.
એલઓસી પર 135 આતંકીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં
સુરક્ષા એજન્સીઓની બોર્ડર સતત ચાંપતી નજર
બીએસએફ અને આર્મી દ્વારા વીશેષ રણનીતી તૈયાર કરવામાં આવી
BSFના કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ રાજા બાબુ સિંહે જણાવ્યું કે ગત વર્ષે સંઘર્ષ વિરામના કરાર બાદ કાશ્મીર એલઓસી પર સ્થિતિ શાંત રહી હતી પરંતુ હાલ એવી જાણકારી મળી છે કે 135 જેટલા આતંકીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે અને તેઓ લોન્ચિંગ પેડ પર બેઠા હોવાનું સામે આવ્યું છે.
ગત વર્ષે 31 આતંકીઓએ ઘુસણખોરી કરી હતી
રાજા બાબુ સિંહે વધુમાં એમ પણ કહ્યું કે અમુક ગાઈડ એલઓસીની બીજી તરફ ગયા છે જેથી સુરક્ષા એજન્સીઓ સતત તેમના પર નજર રાખી છે. સાથેજ તેમણે કહ્યું કે ગત વર્ષે 31 આતંકીઓએ ઘુસણખોરી કરી હતી જેમાથી 5ને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે 21 ભાગી ગયા હતા અને 1 આતંકીએ આત્મસમર્પણ કર્યું હતું.
145 યુવાનો ગત વર્ષે આતંકી સંગઠન શામેલ થયા હતા
ગત વર્ષે ઘાટીમાં 145 યુવાનોને આતંકી સંગઠનમાં શામેલ કરવામાં આવ્યા હતા. જે ગાઈડ એલઓસીની બીજી પાર ગયા છે તેઓ આતંકી સમૂહને સાથે લાવવાનું કામ કરી રહ્યા છે. જેથી બીએસએફ અને આર્મી દ્વારા આ મામલે વીશેષ રણનીતી તૈયાર કરવામાં આવી છે.
ચૂંટણીને લીધે BSFની 10 કંપની પંજાબમાં
સમગ્ર મામલે રાજા બાબુ સિંહે કહ્યું કે કાશ્મીરમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે બીએસએફ તૈનાત છે. કુલ 52 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે જેમા 9 કુપાવાડામાં, 10 બાંદીપોરામાં, 11 ગાંદરબલમાં, 12 બારામુલામાં, 6 બડગામમાં અને 4 કંપની પુલવામામાં તૈનાત કરવામાં આવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હાલ 10 કંપનીઓને અમે પંજાબમાં ચૂંટણીને કારણે રવાના કરી છે.
આંતકીઓનો સામનો કરવો સુરક્ષા દળ તૈયાર
ડ્રોનના ખતરાને લઈને તેમણે કહ્યું કે તેનો સામનો કરવા બીએસએફ દ્વારા ડ્રોન ખરીદવામાં આવી રહ્યા છે. આતંકીઓ પાસે જે અમેરિકી હથિયાર મળી આવ્યા છે તે મામલે જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યા ત્યારે રાજા બાબુ સિંહે જણાવ્યું કે હથિયાર ગમે તેવા હોય તે હથિયારજ હોય છે. સુરક્ષા દળ પુરી રીતે આતંકીઓ સામનો કરવા તૈયાર છે.
જે આતંકી બને તેની જિંદગી 8 સપ્તાહ જેટલી: રાજા બાબુ સિંહ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રાજા બાબુ સિંહે એવું પણ કહ્યું કે જે પણ નવો આતંકી બને છે તેની જિંદગી 6 થી 8 સપ્તાહ જેટલીજ હોય છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના દ્વારા જે હથિયાર મુકી દેવામાં આવ્યા હતા તેને લઈને તેમણે કહ્યું કે આ મામલે તેમની પાસે કોઈ સાબિતી નથી પરંતુ તેઓ નજર રાખી રહ્યા છે.