સંસદમાં નિર્મલા સીતારમણ-સોનિયા ગાંધી વચ્ચે શાબ્દિક યુધ્ધ ?
હું તમારી સાથે વાત કરવા માંગતી નથી: સોનિયા ગાંધી
સ્મૃતિનો આરોપ છે કે, સોનિયા ગાંધીએ તેમને ધમકી આપી
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે સોનિયા ગાંધી પર ગૃહની અંદર ભાજપના નેતાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે રામદેવાને સોનિયા ગાંધી વિશે કહેવામાં આવ્યું ત્યારે તે સમયે કોંગ્રેસ અધ્યક્ષે તેમને કહ્યું - હું તમારી સાથે વાત કરવા માંગતી નથી. બીજી તરફ ગૃહ પરિસરમાં સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્મૃતિનો આરોપ છે કે, સોનિયા ગાંધીએ તેમને ધમકી આપી છે.
રાષ્ટ્રપતિના નિવેદન પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કોંગ્રેસ આદિવાસીઓને દરેક રીતે અપમાનિત કરવાનું કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ વતી અમે માંગ કરીએ છીએ કે, કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માંગવી જોઈએ. કેન્દ્રીય નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે કહ્યું કે, તેઓ પહેલા જ માફી માંગી ચૂક્યા છે. જ્યારે અધીર રંજન ચૌધરી સતત કહી રહ્યા છે કે, માફી માંગવાની જરૂર નથી.
In every way, Congress party has been attempting to undermine a tribal. self-made, successful leader. We, from the BJP demand, the Congress party to apologise to the nation: Union Finance Minister Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury's 'Rashtrapatni' remark pic.twitter.com/AYQGV0TOm3
દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મૂ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે ભાજપ આક્રમક બની ગયું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેને દેશનું અપમાન ગણાવ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દ્રૌપદી મુર્મૂ કોંગ્રેસ પાર્ટીની નફરત અને ઉપહાસનો શિકાર બની ગઈ છે.
શું કહ્યું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ?
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કોંગ્રેસ પાર્ટીએ તેમને કઠપૂતળી કહ્યા. એક આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શોભે છે તે વાત કોંગ્રેસ હજુ પણ સ્વીકારવામાં અસમર્થ છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત ગૃહના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે શરમજનક નિવેદન છે. આ સંબોધન એ સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા વિરુદ્ધ છે, ત્યારે પણ કોંગ્રેસના આ પુરુષ નેતાએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.