કચ્છમાં ઓછા વરસાદના કારણે સ્થાનિકો પરેશાન છે. સરકાર દ્વારા રાજ્યના 18 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આજથી કચ્છ સહિતના જિલ્લાઓમાં સરકાર દ્વારા લાભો શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે કચ્છના ધારાસભ્ય વાસણ આહીરે વીટીવી સાથે વાત કરી હતી.
વાસણ આહીરે જણાવ્યુ કે અછત તરીકેના લાભો ક્યારેય આટલા વહેલા મળતા નથી. સરકાર દ્વારા થોડા જ સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. કચ્છમાં 115થી વધારે ટ્રકો દ્વારા ઘાસ પહોંચાડવામાં આવી રહ્યુ છે. આગામી 10 ઓક્ટોબરથી રેલવે દ્વારા પણ કચ્છને ઘાસ પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત ડેમમાં દરરોજ 700 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યુ છે. આગામી દિવસોમાં ડેમમાં પાણીનો વધારો થયા બાદ જિલ્લામાં પાણીની તંગી નહી રહે. સાથે જ તેમણે હિજરત કરતા લોકો વિશે નિવેદન આપ્યુ કે ઘેટા અને બકરા માટે લીલુ ઘાસ જરૂરી હોય છે.
ધારાસભ્ય વાસણ આહીરે વધુમાં જણાવ્યું કે લીલુ ઘાસ ન મળતા પરિવારો દર વર્ષે હિજરત કરતા હોય છે. ઓછા વરસાદમાં પણ ખેડૂતોએ એક પાક વાવ્યો હતો. ત્યાર બાદ પણ સરકાર દ્વારાક પાકને પકાવવા માટે સરકારે પાણી આપ્યુ હતુ. અત્યાર સુધી કચ્છ માત્ર પીવાનુ પાણી જ આપવામાં આવતુ હતુ.