કઠુઆ અને ઉન્નાવ રેપ કેસની ઘટના પૂરી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. દુનિયાભરના 600થી વધારે શિક્ષણવિંદ અને વિદ્ધાનોએ આ ઘટનાઓના સંબંધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં કઠુઆ અને ઉન્નાવ બળત્કાર કેસમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં શિક્ષણવિંદે પ્રધાનમંત્રી મોદી પર દેશમાં બનેલી ગંભીર સ્થિતિ પર મૌન રાખવાનો આરકોપ લગાવ્યો છે.
આવો પત્ર એવા દિવસે આવ્યો છે જ્યારે કઠુઆ અને સુરતમાં સગીર બાળકીઓના બળત્કાર અને હત્યા અને ઉન્નાવમાં એક છોકરીથી બળત્કારને લઇને દેશભરમાં આક્રોશની વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળે 12 વર્ષ અને એનાથી ઓછી ઉંમરની બાળકીઓથી બળત્કારના કેસમાં દોષિત ગણાતા લોકોને મૃત્યુદંડ સહિત કડક દંડના જોગવાઇ વાળા અધ્યાદેશને મંજૂરી આપી.
પત્રમાં શું છે
પ્રધાનમંત્રી સંબંધોતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કઠુઆ ઉન્નાલ અને ત્યારબાદની ઘટનાઓ પર પોતાનો ગાઢ ગુસ્સો અને નિંદા કરવા ઇચ્છે છે.
પત્રમાં લખવામાં આવ્યું 'અમે જોયું છે કે દેશમાં બનેલી ગંભીર સ્થિતિ પર અને સત્તારૂઢોની હિંસાથી જોડાયેલ સંબંધોને લઇને તમે ખૂબ મૌન રહ્યા છે.'